Only Gujarat

Gujarat

સુરતના આંગણે બની રહ્યાં છે રામ મંદિરના મોડલ્સ, દિવાળીમાં આ ગિફ્ટ્સ લોકોની થશે પડાપડી

ભારતમાં આગામી દિવસોમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ જશે અને જાન્યુઆરીમાં ભક્તો માટે ખુલ્લુ પણ મુકાઇ જશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આવતા વર્ષે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે, પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતની એક સેવાભાવી સંસ્થા હંસ આર્ટે દિવાળીના તહેવારને ખાસ બનાવવા માટે રામ મંદિર મૉડલનો સહારો લીધો છે.

આ સંસ્થાએ રામ મંદિરના મૉડલની ગિફ્ટ્સ બનાવવાનું શરૂ કરી દીધુ છે. આ ગિફ્ટનું વિતરણ દિવાળીમાં ખાસ ગિફ્ટ તરીકે કરવામાં આવશે, સંસ્થાનું કહેવું છે કે, આ અનોખા પ્રયાસ માટે અત્યારથી ઓર્ડર પણ આવી રહ્યા છે.

સુરતમાં રામ મંદિરના મોડલ્સ બનાવાયા

દિવાળીમાં રામ મંદિર મૉડલની ગિફ્ટ અંગે વાત કરતાં હંસ આર્ટના પરેશ પટેલ કહે છે, “અમારી સંસ્થા પક્ષીઓને બચાવવા ઝુંબેશ ચલાવે છે. આ હેતુ માટે અમે પક્ષીઓ માટે બર્ડહાઉસ અને પિચરનું વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ. પીએમ મોદીએ રામ મંદિરનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેથી અમે દિવાળીની ભેટ તરીકે રામ મંદિરના મોડલનું નિર્માણ કર્યું છે. અમને તેના માટે ઓર્ડર પણ મળી રહ્યા છે. અમારી પાસે અત્યાર સુધીમાં 300-400 મોડલના ઓર્ડર છે…”

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 3 દિવસ ચાલશે કાર્યક્રમ

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આવતા વર્ષે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. ટ્રસ્ટના સભ્યોએ અગાઉ કહ્યું હતું કે તેઓ આ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ મોકલશે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શુક્રવારે જણાવ્યું હતું કે, “રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આવતા વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાશે. આ માટે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખો નક્કી કરવામાં આવી છે. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમ માટે આમંત્રિત કરીશું જેમાં અગ્રણી સાધુઓ અને અન્ય મહાનુભાવો હાજરી આપશે.

ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ભોજન આપવામાં આવશે

ટ્રસ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિના અભિષેક સમારોહ માટે આવતા ભક્તોને લગભગ એક મહિના સુધી મફત ભોજન આપવાનું આયોજન કરી રહ્યું છે. રાયે જણાવ્યું કે જાન્યુઆરીમાં ગર્ભગૃહમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર ટ્રસ્ટ દ્વારા એક મહિના સુધી દરરોજ 75 હજારથી એક લાખ ભક્તોને ભોજન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 5 ઓગસ્ટ, 2020ના રોજ રામ મંદિરનું ‘ભૂમિપૂજન’ કર્યું હતું.

You cannot copy content of this page