Only Gujarat

Bollywood

સોહાથી લઈને ભાગ્યશ્રી સુધી, રજવાડી પરિવારમાંથી આવે છે બોલિવૂડની 9 અભિનેત્રીઓ, જાણો લીસ્ટ

બોલીવુડમાં એવા કલાકારોની કોઈ કમી નથી જેમના પરિવારનો ફિલ્મી દુનિયા સાથે કોઈ સંબંધ નથી પરંતુ પોતાના દમ પર ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. તો અનેક કલાકારોને અભિનયની કળા વારસામાં મળી છે. તેમને દર્શકોએ તેમના અભિનય માટે ખૂબ જ પસંદ કર્યા. આ વચ્ચે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેમનો સંબંધ રાજા મહારાજાઓના પરિવાર સાથે છે અને તેમણે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી.

મોહિના કુમારી
ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી મોહિના કુમારી રીવાની રાજકુમારી છે. મોહિના, મહારાજા પુષ્પરાજ સિંહ જૂદેવની દીકરી છે. તેણે ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના દીકરા સુયશ રાવત સાથે લગ્ન કર્યા છે. મોહિના ટીવી સિવાય ફિલ્મોમાં પણ હાથ અજમાવી ચુકી છે. તે રેમોની ફિલ્મ એબીસીડીમાં નજર આવી હતી. લગ્ન બાદ મોહિનાએ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે.

અદિતિ રાવ હૈદરી
અદિતી બે શાહી પરિવાર સાથે સંબંધ રાખે છે. એક છે મોહમ્મદ સાહેલ અકબર હૈદરી અને બીજું છે વાનાપાર્થી પરિવારના પૂર્વ રાજા જે રામેશ્વર રાવ. અદિતી, અકબર હૈદરીની પ્રપૌત્રી છે. અદિતિના નાના જે રામેશ્વર રાવ તેલંગાણાના વાનાપર્થીના રાજા હતા. તે આમિર ખાનની પત્ની કિરણ રાવની કઝિન પણ છે.

સોહા અલી ખાન
સોહાનો સંબંધ પટૌડી ખાનદાન સાથે છે. તેમના પૂર્વજ ભોપાલની પટૌડી રિયાસતના નવાબ હતા. સૈફ અને સોહાના પિતા મંસૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તો હતા જ, સાથે જ ભોપાલના નવાબ પણ હતા.

ભાગ્યશ્રી
ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલી રાજ પરિવાર સાથે સંબંધ રાખે છે. તેમના પિતા શ્રીમંત રાજા વિજય સિંહ રાવ માધવરાવ પટવર્ધન રાજા હતા. ભાગ્યશ્રીનું આખું નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે.

સોનલ ચૌહાણ
ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ જન્નતમાં કામ કરી ચૂકેલી સોનલ ચૌહાણનો જન્મ યૂપીના બુલંદશહરમાં થયો હતો. સોનલ યૂપીના મૈનપૂરીના એક રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

રિયા સેન
રિયા સેન શાહી પરિવારમાંથી છે. તેમના પિતા ભારત દેવ વર્મા ત્રિપુરા રાજ પરિવારના સભ્ય છે. તેમના દાદી ઈલા દેવી કૂચ બિહારના રાજકુમારી હતા. ઈલા દેવીના નાના બહેન ગાયત્રી દેવી જયપુરના મહારાણી હતા. રિયાના પરદાદી ઈંદિરા રાજે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના એકમાત્ર દીકરી હતા.રિયા અને રાયમાની માતા જાણીતા અભિનેત્રી મુનમુન સેન છે.

સાગરિકા ઘાટગે
ચક દે ઈન્ડિયા ફેમ અને ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા કોલ્હાપુરના કહલ રાજ પરિવારની દીકરી છે. તેમના પિતાનું નામ વિજય સિંહ ઘાટગે છે.

મનીષા કોઈરાલા
મનીષા નેપાળના રાજ પરિવાર સાથે સંબંધ ધરાવે છે પરંતુ તેમનું બાળપણ ખૂબ જ સાધારણ માહોલમાં વિત્યું. તેમના પિતા પ્રકાશ કોઈરાલા નેપાળ સરકારમાં મંત્રી રહ્યા હતા. જ્યારે દાદા બીપી ઉર્ફે બિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલા 1950 અને 60ના દાયકામાં નેપાળના પીએમ રહી ચુક્યા છે.

કિરણ રાવ
આમિર ખાનની પત્ની કિરણ રાવ પણ રાજ ઘરાના સાથે સંબંધ ધરાવે છે. તેના પરદાદા જે રામેશ્વર રાવ તેલંગાણાના મહાબુબનગરના મહારાજા હતા. એટલું જ નહીં તે અભિનેત્રી અદિતી રાવ હૈદરીની કઝિન પણ છે.

You cannot copy content of this page