કિન્નરોએ પહેલાં તો વાતોમાં ભોળવી લીધો ને પછી નશાનો ડોઝ આપીને રાત્રે જે કર્યું તે કલ્પના બહારનું હતું
ગુરદાસપુરઃ એક તરફ જ્યા અનેક લોકો ખુશીના મોકા પર કિન્નરોને પોતાના ઘરે બોલાવવાનું શુભ માને છે અને તેમની પૂજા કરે છે. ત્યાં જ પંજાબના ગુરદાસપુરમાં બે કિન્નરોએ એક યુવાનને પોતાની જાળમાં ફસાવીને અનેક મહીનાઓ સુધી પોતાનું કામ કરાવ્યું અને બાદમાં દગાથી તેનો પ્રાઈવેટ પાર્ટ કપાવી નાખ્યો. આ વિશે યુવકની માતાને ખબર પડી તો માતાની ફરિયાદના આધારે પોલીસે બંને કિન્નરો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા દરોડા પાડવાના શરુ કરી દીધા છે.
મામલાની જાણકારી આપતા પીડિત યુવાને જણાવ્યું કે તે ગુરદાસપુરમાં માતાના જાગરણમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. જાગરણમાં જ તેનો સંપર્ક સોનિયા નામની એક કિન્નર સાથે થયો. સોનિયા કિન્નરે પહેલા તેની સાથે દોસ્તી કરી અને પોતાના ઘરે પણ લઈ જતી હતી. અનેક વાર પોતાની સાથે પ્રોગ્રામમાં પણ સાથે લઈ ગઈ, ફરી સોનિયાએ તેનો સંપર્ક પોતાના ગુરુ પરવીન કિન્નર સાથે કરાવ્યો અને તે અનેક મહિનાઓ સુધી પરવીનના ઘરે કામ કરતો રહ્યો.
અનેક મહિનાઓ કામ કર્યા બાદ સોનિયા કિન્નર તેને ઘરે નહોતી જવા દેતી અને તેની સાથે મારપીટ પણ કરવા લાગી. એક દિવસ સોનિયા કિન્નર તેને નશાની દવા આપીને અમૃતસર લઈ ગઈ. જ્યાં જઈને તેનો પ્રાઈવેટ પાર્ટ કપાવી નાખ્યો અને પરવીન કિન્નરના ઘરે છોડી દીધો. બે દિવસ બાદ તે ત્યાંથી ભાગી આવ્યો અને આખી ઘટના પોતાની માતાને જણાવી દીધી. પોલીસને ફરિયાદ કરીને તેણે માંગણી કરી છે કે બંને કિન્નરોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
તો પીડિતના માતાએ કહ્યું કે તેણે પોતાના દીકરા માટે ઘણા સપના જોયા હતા કે તે તેના લગ્ન કરાવશે અને તેનો વંશ પણ આગળ વધશે પરંતુ આ બંને કિન્નરોએ તેના દીકરા અને તેના પરિવારને તબાહ કરી દીધો.
આ મામલામાં ગુરદાસપુરના SHO જબરજીત સિંહે જણાવ્યું કે , પીડિતની માતાનું નિવેદન દાખલ કરવામાં આવ્યા છે અને તેમણે જણાવ્યું છે કે તેના છોકરાનો પ્રાઈવટ પાર્ટ પરવીન કિન્નર અને સોનિયા કિન્નરે દગો કરીને કપાવી નાખ્યો છે. બંને કિન્નરોની સામે IPCની કલમ 326, 342, 328, 506 અને 120 બી અંતર્ગત મામલો દાખલ કર્યો છે. બંનેની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાલ બંને કિન્નર ફરાર છે.