નવી દિલ્હીઃ પંજાબમાં એક મોટાભાઇએ પોતાના નાના ભાઇની હત્યા કર્યાની ઘટના બની છે. પોતાની નાના ભાઇની પત્નીને મેળવવા માટે અપરણિત મોટાભાઇએ નાના ભાઇની હત્યાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું. ઘટના પંજાબના રનધીરગઢ ગામની છે. આરોપી પોતાના નાના ભાઇની પત્ની પર ખરાબ નજરથી જોતો હતો જેની કોઇને પણ જાણ નહોતી. તે સતત વિચારતો રહેતો હતો કે નાના ભાઇને રસ્તામાંથી હટાવીને તેની પત્ની સાથે લગ્ન કરી લેવામાં આવે.
એક દિવસ તેણે પોતાના આ વિચાર પર અમલ કરી દીધો હતો અને પોતાના નાના ભાઇની હત્યા કરી દીધી. આ ઘટનાની જાણ થતાં મૃતકની પત્ની આઘાતમાં છે આખરે તેમનો જેઠ આવું કેવી રીતે કરી શકે છે.
પોલીસે જણાવ્યું કે, ઘટના 29 જાન્યુઆરીની છે જ્યારે આરોપી યાદવિંદર સિંહ પોતાના નાના ભાઇ ચરનજીત સિંહને બાઇક પર બેસાડીને એક ખેતરમાં લઇ ગયો હતો. રસ્તામાં તેણે દારૂ ખરીદ્યો હતો. બાદમાં ખેતરમાં જઇને બંન્નેએ દારૂ પીધો હતો.
ચરનજીતને યાદવિંદર સિંહે વધુ દારૂ પીવડાવ્યો હતો. જ્યારે તે બેહોશ થઇ ગયો ત્યારે તેનું ગળુ દબાવી યાદવિંદર સિંહે હત્યા કરી દીધી. બાદમાં ઇટથી તેનો ચહેરો બગાડી દીધો અને લાશને એવી જગ્યાએ ફેંકી દીધી જ્યાં કૂતરાઓએ તેને ખાઇ જાય પરંતુ આગામી દિવસે કોઇએ લાશ જોતા તેણે પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.
પોલીસે જણાવ્યું કે, 22 વર્ષના ચરનજીત સિંહ જગસીરસિંહ ગામમાં પ્રદીપ સિંહ નામના ખેડૂતને ત્યાં કામ કરતો હતો. તેની હત્યા મોટાભાઇ યાદવિંદર સિંહ ઉર્ફ તરસેમ સિંહે કરી હતી. તે નાના ભાઇની પત્નીને મેળવવા માંગતો હતો. મૃતકનો એક અન્ય મોટો ભાઇ ગુરુપ્રીત છે. જેના પણ હજુ સુધી લગ્ન થયા નથી.