Only Gujarat

Bollywood FEATURED

પ્રિયંકા ચોપરા કામ માગવા ગઈ તો ડિરેક્ટરે કહ્યું, ‘પહેલાં કરાવી લે બ્રેસ્ટ સર્જરી’

બોલિવૂડથી હૉલિવૂડમાં સફળતા મેળવનારી એક્ટ્રસ પ્રિયંકા ચોપરા પોતાની નિખાલસતાને લીધે જાણિતી છે. અત્યારે પ્રિયંકા પોતાની અપકમિંગ બૂક ‘અનફિનિશ્ડ’ અંગે જબરદસ્ત ચર્ચામાં છે. જેમાં તે પોતાની જિંદગી સાથે જોડાયેલાં રસપ્રદ કિસ્સાનો ખુલાસો કરશે. પ્રિયંકાએ પોતાના આ સંસ્મરણમાં જણાવેલાં કેટલાક કિસ્સા સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. રિપોર્ટ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે, આ બૂકમાં પ્રિયંકાએ એવું જણાવ્યું છે કે, એક ફિલ્મ ડિરેક્ટરે તેમને પ્લાસ્ટિક સર્જરી કરવવા માટેની સલાહ આપી હતી. પ્રિયંકાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ અંગે વાત પણ કરી હતી.

સંસ્મરણ ‘અનફિનિશ્ડ’ના રિલીઝ પહેલાં પ્રિયંકા ચોપરાને તેમની પ્લાસ્ટિક સર્જરી કરાવવાની અફવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. હાલમાં જ એક મેગેઝિનને આપેલાં ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, ‘એક ફિલ્મમેકરે તેમને અનુપાતની સર્જરી દ્વારા સરખું કરાવવાની સલાહ આપી હતી.’ પ્રિયંકાનું કહેવું છે કે, ‘મેં એટલે આ વાત નથી લખી કે, મારે કોઈને સ્પષ્ટતા કરવી નથી. હું પોતાના જીવનની તે અવસ્થામાં છું જ્યાં બેસી પોતાની જિંદગી વિશે લખ્યું છે. આ તેમાંથી એક છે. જે મેં પોતાના દિલમાં રાખ્યું છે, જેનાથી હું પ્રભાવિત થઈ હતી.’

તેમણે કહ્યું કે, ‘હું મનોરંજન બિઝનેસમાં એક મહિલા છું. મારે મજબૂત થવું પડશે. જ્યાં કલાકાર પોતાની નબળાઈ બતાવે છે ત્યારે લોકો તેને નીચા દેખાડી આનંદ અનૂભવે છે. હું માત્ર પોતાનું કામ કરું છું, મેં જે સહન કર્યું છે તેની વાત કરતી નખથી. હું વધારે સમજદાર છું, જેને લીધે ભૂતકાળની વાત કરવી સરળ થઈ જાય છે. આ બૂકમાં મેં કોઈ સ્પષ્ટતા કરી નથી. આ મારી જિંદગીની કહાણી છે. મારી નજરથી.’

બ્રિટિશ અખબાર ધી ઇન્ડિપેન્ડન્ટના એક રિપોર્ટ મુજબ, પ્રિયંકા ચોપરાએ પોતાના સંસ્મરણમાં જણાવ્યું છે કે, વર્ષ 2000માં મિસ વર્લ્ડ જીત્યા પછી ફિલ્મ ડિરેક્ટરને મળી હતી. જેમાં પ્રિયંકા ચોપરાને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી.

આ સંસ્મરણમાં લખ્યું છે કે, ‘થોડીવાર વાત કર્યાં પછી ડિરેક્ટર અને પ્રોડ્યુસરેલ ઊભા થઈ મને આગળ પાછળ ફરવા માટે કહ્યું અને મેં કહ્યું. મને ઘણીવાર સુધી જોઈ. આ પછી તેમણે મને સલાહ આપી કે જો, હું એક્ટ્રસ બનવા માગુ છું તો મારે પોતાના અનુપાતોને સરખા કરાવી લેવા જોઈએ અને લૉસ એન્જલસમાં એક ડૉક્ટરને પણ તે જાણતાં હતાં જ્યાં મને મોકલી શકતાં હતાં. આ સાંભળી તે સમયે મારા મેનેજરે મને સલાહ આપી હતી.’

પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, તે ખૂબ જ ખરાબ અનુભવ થયો અને તેમણે પોતાના મેનેજર દ્વારા રસ્તો અલગ કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાની સંસ્મરણ ‘અનફિનિશ્ડ’ 9 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

You cannot copy content of this page