મુંબઈઃ દેશમાં અનલૉક – 2 લાગૂ કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે. મુંબઈમાં સિરિયલ, વેબ સિરીઝ અને ફિલ્મના શૂટિંગ નિયમો સાથે શરૂ થઈ ગયાં છે. બોલિવૂડમાં સેલેબ્સના અનેક કિસ્સા, ફોટો અને વીડિયો સામે આવતાં રહે છે. એવામાં ઐશ્વર્યા રાય બચ્ચનનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ કિસ્સો તે સમયનો છે જ્યારે બોલિવૂડના અનેક સેલેબ્સ ઐશ્વર્યા રાયની વિરુદ્ધ થઈ ગયા હતા અને કેટલાકે તો તેમની મજાક પણ ઉડાવી હતી. ઉલ્લેખનીય છે કે, એક સમયે કરીના કપૂરે ઐશ્વર્યા રાય વિશે એવી વાત કહી હતી કે, જેને સાંભળી ઐશ્વર્યા રાય નારાજ થઈ ગઈ હતી.
ઐશ્વર્યા રાય તેમની સુંદરતા અને ઇન્ટેલિજન્સી માટે ઓળખાય છે. જોકે, આ ઉપરાંત ઐશ્વર્યાને અનેક બોલિવૂડના સેલેબ્સ દ્વારા અલગ-અલગ મુદ્દે ટાર્ગેટ કરવામાં આવે છે. જેમાં કરીના કપૂર, સોનમ કપૂરથી લઈ ઇમરાન હાશમી સહિતના સેલેબ્સ સામેલ છે. કરીના કપૂરે ઐશ્વર્યા રાયને ઇશારા-ઇશારામાં કેટલીક એવી વાત કહી હતી, જેને સાંભળી ઐશ્વર્યા રાય બચ્ચન હેરાન હતી. આ કિસ્સો ફિલ્મ ‘હીરોઈન’ અંગે હતો.
ઐશ્વર્યા રાયે ડિરેક્ટર મધુર ભંડારકરની ફિલ્મ ‘હીરોઇન’ સાઇન કરી હતી. થોડાં દિવસ શૂટિંગ કર્યાં પછી ઐશ્વર્યાએ પ્રૅગનન્સિ વિશે કહી ફિલ્મ છોડી દીધી હતી. આ પછી ફિલ્મમાં કરીના કપૂરને મળી હતી. ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ્યારે મીડિયામાં કરીના કપૂરને પૂછવામાં આવ્યું કે, ‘જો ફિલ્મમાં ઐશ્વર્યા રાય લીડ રોલમાં હોત તો ફિલ્મ કેટલી અલગ થઈ શકેત.’ જેના જવાબમાં કરીના કપૂરે કહ્યું કે, ‘ઐશ્વર્યા રાય એક અદભુત એક્ટ્રસ છે અને આપણાં દેશની આઇકન છે. અમારી તુલના કરવી યોગ્ય નથી કેમ કે, અમે બંને અલગ-અલગ પેઢીના છીએ.’
એકવાર સોનમ કપૂરે ઐશ્વર્યા રાયને આંટી કહી હતી. આ પછી ઐશ્વર્યા સાથે જ ફેન્સ પણ આ વાતને લીધે ખૂબ જ નારાજ થયા હતાં. આ પર સોનમ કપૂરે કહ્યું કે, ‘તેમને જનરેશન ગેપ દેખાતા આવું કહ્યું.’ આ ઉપરાંત સોનમ કપૂરે વધુમાં કહ્યું કે, ‘ઐશ્વર્યાએ મારા પિતા સાથે ફિલ્મમાં કામ કર્યું છે, તો હું તેમને આંટી કહીને બોલાવીશ.’
સોનમ કપૂરની આ વાતથી ઐશ્વર્યા ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા અને સોનમ કપૂર બંને લોરિયર બ્રાન્ડના એમ્બેસેડર છે. વાત 2011ની છે, જ્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ સોનમ કપૂરને રેડ કાર્પેટ પર સાથે ચાલવા કહ્યું હતું તો, સોનમ કપૂરે ના પાડી દીધી હતી.
વર્ષ 2008માં જ્યારે કેટરીના કેફની પાર્ટીમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને શાહરૂખ ખાને ઐશ્વર્યા રાય વિશે જેવું તેવું કહ્યું હતું. આ વાત સાંભળી જયા બચ્ચન ખૂબ જ નારાજ થયાં હતા. આ અંગે જયા બચ્ચને કહ્યું કે, ‘આ પાર્ટીમાં થયેલાં ઝઘડામાં શાહરૂખે મારી વહુ વિશે ખોટી વાત કહી છે. આ વાતને લીધે હું શાહરૂખને લાફો મારી દેત.’
ઇમરાન હાશમી અને ઐશ્વર્યા રાય વચ્ચે વિવાદની શરૂઆત કરણ જોહરના ‘શૉ કોફિ વીથ કરણ’થી થઈ હતી. રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ એક-એક નામ લઈ રહ્યો હતો, જેના જવાબમાં ઇમરાનને પહેલાં જે મગજમાં આવ્યું તે બોલવાનું હતું. જ્યારે કરણે ઐશ્વર્યાનું નામ લીધું તો ઇમરાને ‘પ્લાસ્ટિક’ કહી દીધું હતું.
ઇમરાન હાશમી આ વાતને લીધે તે સમયે ખૂબ જ ચર્ચામાં હતા. જ્યારે ઐશ્વર્યાને આ વાતની જાણકારી મળી ત્યારે તે ખૂબ જ નારાજ પણ થઈ હતી. રિપોર્ટ મુજબ, ઐશ્વર્યાને ફિલ્મ બાદશાહો ઓફર થઈ હતી પણ, આ ફિલ્મમાં ઇમરાન હાશમી હોવાને લીધે તેમણે ફિલ્મ ‘બાદશાહો’માં કામ કરવાની ના પાડી દીધી હતી.