Only Gujarat

FEATURED National

પહેલાં પતિ સાથે ના ફાવ્યું તો બીજા કર્યા લગ્ન, પ્રેગ્નન્ટ પત્નીએ છેલ્લાં મહિને કર્યું એવું કે…

તેગબહાદુર નગરમાં બુધવારે રાત્રે 9 મહિનાની ગર્ભવતીએ પોતાની બુઢી માતા અને માસૂમ દિકરી સાથે ઝેર ખાઈને જીવ આપી દીધો. મરતા પહેલા મહિલાએ ત્રણેય સાથે એક સેલ્ફી લીધી હતી. જેમાં બાળકી ગુમસુમ હતી, જ્યારે બંને મહિલાઓ ખૂબ જ રડી રહી હતી. આ મામલામાં ખુલાસો થયો છે કે મહિલા પોતાના બીજા પતિથી પરેશાન હતી. તે તેના ચરિત્ર પર શક કરતો હતો. તેને લાગતું હતું કે મૃતકનું તેના પહેલા પતિ સાથે ચક્કર છે. મહિલાના બંને પતિ મિત્રો છે.

ડીએસપી સુચ્ચા સિંહ બલ્લે જણાવ્યું કે ગર્ભવતી ગીતઈંદ્ર કૌરના પિતા પંજાબ રોડવેઝમાં ઈન્સ્પેક્ટર હતા. તેમના મોત બાદ ગીતને ક્લર્કની નિયુક્તિ મળી ગઈ હતી. તેના પહેલા લગ્ન લવપ્રીત સિંહ સાથે થયા હતા. નૂરદીપ ઉર્ફ નૂર બંનેની એકમાત્ર દિકરી હતી. પરંતુ અણબનાવના કારણે તેમના છૂટાછેડા થઈ ગયા. જે બાદ તે પોતાની દિકરી અને માતા સાથે અલગ રહેતી હતી. આ વચ્ચે ગીતે રાજબીર ઉર્ફ રાજા પન્નૂ સાથે બીજા લગ્ન કરી લીધા હતા. રાજા અને લવપ્રીત મિત્રો છે. રાજા ગીતના ચરિત્ર પર શંકા કરતો હતો.

ગીતની ગુરુવારે ડિલીવરી થવાની હતી. પરંતુ તેના એક દિવસ પહેલા જ ગીત અને રાજામાં ઝઘડો થયો. તેનાથી દુઃખી થઈને તેણે મરવાનું નક્કી કર્યું. મરતા પહેલા ત્રણેય ગુરુદ્વારામાં માથું ટેકવા ગયા. પછી આવીને ઝેર ખાઈ લીધું. સૌથી પહેલા દિકરી નૂરદીપને ઝેર ખવડાવ્યું. જે બાદ માતા અને છેલ્લે પોતે ઝેર ખાધું. જે બાદ ગીતે પોતાની માસીને સેલ્ફી મોકલી અને વીડિયો કૉલ કર્યો. તેના માસી કેટલાક લોકોને લઈને તરત ઘટના સ્થળે પહોંત્યા, પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું.

પંજાબ રોડવેઝમાં ગીત નોકરી કરતી હતી અને તેનો પતિ રાજબીર ચરિત્ર પર શંકા કરતો હતો અને તેને દહેજ માટે પરેશાન કરતો હતો. આ કારણે ઘરમાં ગીતની માતા પ્રીતમ કૌર કેટલા દિવસ પહેલા પોતાની દિકરીના ઘરે આવી હતી કારણ કે ઘરમાં બાળક આવવાનું હતું. તેને પણ પોતાની દિકરી અને દોહિત્રી સાથે સલ્ફાસ ગળીને આત્મહત્યા કરી લીધી.

ગીતના પરિવારના સંબંધીઓનું કહેવું છે કે તેનો પતિ તેને દહેજ માટે પરેશાન કરતો હતો. તેને પગાર પણ લઈ લેતો હતો. જેના કારણે ગીત ઘણી જ પરેશાન હતી. પોલીસને પણ આ મામલે ઘણીવાર ફરિયાદ કરી પરંતુ ન્યાય ન મળતા આત્મહત્યા કરી લીધી.

ગીતનો પતિ રાજબીર સિંહ હથિયારોનો શોખીન હતો. તેની ફેસબુકમાં અલગ-અલગ પ્રકારના હથિયારો સાથે તસવીરો પણ છે. તેની પાસે પોતાની રાઈફલ પણ છે. રાજબીર સિંહ કોઈ રાઈસ મિલમાં સિક્યોરિટી ગાર્ડનું કામ કરતો હતો અને હથિયારોની ધોંસ બતાવીને પોતાની પત્નીને તંગ અને પરેશાન કરતો હતો.

તરનતારન સિટીના થાના પ્રભારી ગુરચરણ સિંહે જણાવ્યું કે પોલીસના અધિકારીઓ પણ માની રહ્યા છે કે મૃતકે અનેકવાર ફરિયાદ કરી હતી અને તપાસ પણ ચાલી રહી હતી. પરંતુ તે પહેલા જ તેણે માતા, દિકરી અને પેટમાં ઉછરી રહેલા બાળક સાથે જીવનલીલા ખતમ કરી દીધી. પોલીસે મહિલાના પતિની સામે આત્મહત્યા માટે ઉકસાવવાનો મામલો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page