Only Gujarat

Bollywood

નયનતારા સાથે લિવઈનમાં રહી ચૂકેલા પ્રભુદેવાએ ડોક્ટર સાથે કર્યાં બીજા લગ્ન

મુંબઈઃ કોરોના વાઇરસને લીધે દેશમાં થયેલાં લોકડાઉનામં ઘણાં નાના-મોટા સ્ટાર્સે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન અલગ-અલગ કારણોને લીધે ચર્ચામાં હતાં. આ દરમિયાન એક મોટા લગ્ન થઈ ગયાં પણ, તેનો ઉલ્લેખ હજી સુધી થયો નથી. કેમ કે, તેનો ખુલાસો હવે થયો છે. આ લગ્ન જાણિતા નિર્દેશક અને કોરિયોગ્રાફર પ્રભુદેવા છે. જી હા, છેલ્લાં કેટલાક દિવસથી ચર્ચા હતી કે, પ્રભુદેવાએ પોતાની ભાણી સાથે લગ્ન કરી લીધા છે, હવે સત્ય સામે આવ્યું છે કે, પણ મુંબઈના એક ફિઝિયોથેરેપિસ્ટ સાથે લગ્ન કર્યાં છે.

આ ફિઝિયોથેરેપિસ્ટનું નામ ડૉક્ટર હિમાની છે. મળેલી માહિતી મુજબ ડૉક્ટર હિમાની મુંબઈના સાકીનાકા વિસ્તારમાં રહે છે. સતત ડાન્સ કરવાને લીધે થોડાં મહિના પહેલા પ્રભુદેવાના પગ અને પીઠ પર ખેંચ આવી, તે દરમિયાન પ્રભુદેવા ડૉક્ટર હિમાનીના સંપર્કમાં આવ્યાં હતાં. આ લોકડાઉન પહેલાંની વાત છે. દેશમાં જ્યારે લોકડાઉન થવાનું હતું તે પહેલાં પ્રભુદેવા ડૉક્ટર હિમાની સાથે ચેન્નઈ જતાં રહ્યાં હતાં. અંતે તેમને પોતાની સારસંભાળ પણ કરાવવાની હતી. ચેન્નઈમાં પ્રભુદેવા અને હિમાની એક બીજા સાથે પ્રેમ સંબંધમાં રહ્યા અને તે બંનેએ મે મહિનામાં લગ્ન કરી લીધા.

પોતાના પગ અને પીઠની સારવાર કરાવતાં જ પ્રભુદેવાએ પોતાના માટે નવી વહુ શોધી લીધી અને લગ્ન પણ કરી લીધાં, પણ આ લગ્ન લૉકડાઉન દરમિયાન થયાં એટલે તેના વિશે ન તો કોઈને ખબર પડી કે ન તો કોઈ તેમાં સામેલ થઈ શક્યું. કોરોના વાઇરસને લીધે ઊભો થયેલો શરૂઆતી માહોલ જ એવો હતો જ્યારે લોકો એકબીજા પાસે આવતાં પણ ડરતાં હતાં. હિમાની તો પ્રભુદેવાના ઘરવાળાને મળીને આશીર્વાદ પણ લઈ ચૂકી છે, પણ અત્યાર સુધી બંને પરિવારનો મેળ થઈ શક્યો નથી. થોડાં દિવસ પહેલાં જ હિમાનીના પરિજનો પણ પ્રભુદેવાના પરિવારને મળવા માટે મૈસૂર ગયાં હતાં.

આ દરેક માહિતીની પુષ્ટી પ્રભુદેવાના મોટા ભાઈ રાજૂ સુંદરમે કરી છે. સાથે જ તેમણે આ લગ્નની ખુશી પણ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, પ્રભુદેવાએ આ પહેલાં વર્ષ 1995માં રામલતા સાથે લગ્ન કર્યાં હતાં. બંનેને ત્રણ બાળકો પણ છે. જેમાંથી મોટો દીકરોએ વર્ષ 2008માં કેન્સરને લીધે દમ તોડી દીધું હતું. આ પછી વૈવાહિક જીવનમાં દક્ષિણ ભારતીય ફિલ્મોની સુપરસ્ટાર એક્ટ્રસ નયનતારાની એન્ટ્રી થઈ હતી. ત્યારે રામલતા આ મામલો કોર્ટમાં લઈ ગઈ અને ભૂખ હડતાલ પર જવાનું એલાન કરી દીધું હતું.

આ પછી નયનતારા વિરુદ્ધ પ્રદર્શન કર્યું, પૂતળા સળગાવવામાં આવ્યાં. ત્યારે નયનતારાએ ખુદ જાહેર કર્યું હતું કે, તેમણે પ્રભુદેવા સાથે પોતાનો સંબંધ પુરો કરી દીધો છે. વર્ષ 2011માં રામલતાનો પ્રભુદેવા સાથે છૂટાછેડા થઈ ગયાં હતાં. કોર્ટે તેમના બંને બાળકો રામલતાના હવાલે કર્યાં હતાં. અત્યારે વર્ષો પછી ફરી પ્રભુદેવાએ લગ્ન કરી લીધા છે.

You cannot copy content of this page