Only Gujarat

FEATURED National

શું PM નરેન્દ્ર મોદીની લાંબી દાઢી દેશનાં લોકો માટે છે એક સંદેશ?

દેશમાં જ્યારે કોરોના વાયરસે પગપેસારો કરવાનો શરૂ કર્યુ ત્યારે માર્ચ મહિનામાં PM મોદીએ દેશને સંબોધિત કરતાં એક દિવસનાં જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી. તે દરમ્યાન જ્યારે તે ટીવી ઉપર દેખાયા તો તેમની દાઢી કપાઈને સેટ થયેલી હતી.

લગભગ 3 મહિના બાદ જ્યારે અનલૉક-2ની જાહેરાત બાદ તેમણે દેશને સંબોધિત કર્યો તો તેમની દાઢી ઘણી બધી વધેલી હતી. એવું લાગી રહ્યું હતું કે, તેમણે કેટલાંય દિવસોથી તેમની દાઢી કપાવી નથી. એવામાં લોકો અંદાજ લગાવી રહ્યા છેકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામાન્ય જનતાને સંદેશ આપવા માટે પોતાની દાઢી કપાવી નથી.

એવું એટલા માટે કહેવામાં આવી રહ્યુ છેકે, અનલોક-2ની જાહેરાત બાદ પણ પ્રધાનમંત્રી મોદીએ લોકોને ઘરોમાંથી બહાર નીકળવા અને નકામા સામાનોથી બચવાની સલાહ આપી હતી. માર્ચથી લઈને જ્યારે જૂન 2020નાં છેલ્લાં દિવસે તેમણે દેશને સંબોધિત કર્યો ત્યારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનાં 70 દિવસ વિતી ચૂક્યા હતા.

લાંબી દાઢીમાં કોઈ સંકેત હતો? તેનો અર્થ એ થાય છેકે, પ્રધાનમંત્રી છેલ્લાં લાંબા સમયથી પોતાના હેર ડ્રેસરને મળ્યા નથી. જણાવી દઈએકે, અનલોક-1ની જાહેરાત બાદથી જ સલૂન અને હેરકટિંગની દુકાનો ઘણા રાજ્યોમાં ફરીથી ખુલવા લાગી છે.

હેરડ્રેસને મળવાનું કારણ એ નથીકે, PM મોદી પોતાના સત્તાવાર નિવાસ 7, કલ્યાણમાર્ગમાં નથી. જે મહામારીમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. તે સમયગાળામાં પ્રધાનમંત્રી તરીકે સતત વર્ચુઅલ મિટિંગ કરવી અને અધિકારીઓને મળવું જરૂરી છે. કદાચ આ જ કારણે તેઓ આટલા સમયથી પોતાના હેર ડ્રેસરને મળ્યા નથી, કારણકે, હાલમાં તેઓ સૌથી વધારે પોતાના મહત્વપૂર્ણ કામો ઉપર જ ધ્યાન આપી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે તેમણે દેશના લોકોને સંદેશ આપવા માટે આ કર્યું છે. તેમણે લોકોને ઘણી વખત અપીલ કરી છે કે જો તમે ઘરેથી કામ કરવા માટે સક્ષમ હોવ, તો ઘરેથી જ કામ કરો. વારંવાર કરિયાણાનો સામાન લેવા માટે બહાર ન જશો. લોકોથી સામાજિક અંતર જાળવો અને મળવાને બદલે વિડિઓ કોલ્સ પર તમારા મિત્રો સાથે વાત કરો. તેમણે લોકોને અપીલ કરી છે કે તમે બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page