Only Gujarat

International

કેવી રીતે ખતમ થશે કોરોના વાયરસ? ઓક્સફોર્ડના નિષ્ણાંતે શું કર્યો મોટો દાવો?

વિશ્વ વિખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર સુનેત્રા ગુપ્તાએ જણાવ્યું કે કોરોના વાયરસ મહામારી કેવી રીતે ખતમ થશે. તેઓએ એ પણ કહ્યું કે આપણામાંથી મોટાભાગના લોકોને કોરોનાથી બચવા માટે વેક્સીનની જરૂર પણ નહીં પડે. પ્રોફેસર ગુપ્તાએ જણાવ્યું કે લોકડાઉન કેવી રીતે વાયરસને નિયંત્રિત કરવા માટે એક લાંબા સમય સુધી ટકી શકે તેવો ઉપાય નથી.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે પ્રોફેસર ગુપ્તાએ કહ્યું કે સામાન્ય રીતે સ્વસ્થ લોકોને કોવિડ-19થી ડરવાની જરૂરિયાત નથી. એવા લોકો જે સામાન્ય રીતે સ્વસ્થ છે, વૃદ્ધ કે નબળા નથી અથવા કોઇ અન્ય બીમારીથી ગ્રસિત નથી તેઓએ આ વાયરસથી જરાય પરેશાન થવાની જરૂર નથી. આવા લોકોએ કોરોનાની એટલી જ ચિંતા કરવી જેટલી સામાન્ય ફ્લૂ દરમિયાન કરતા હોય છે.

ગુપ્તાના જણાવ્યા પ્રમાણે વેક્સીન જ્યારે પણ તૈયાર થઇ જશે તેનો ઉપયોગ નબળા દર્દીઓ માટે કરવામાં આવશે. આપણામાંથી મોટાભાગના લોકોને કોરોના વાયરસ અંગે ચિંતા કરવાની જરૂર નથી. મારું માનવું છે કે કોરોના વાયરસ મહામારી પ્રાકૃતિક તરીકે જ સમાપ્ત થઇ જશે અને આ ઇંફ્લુએંજાની જેમ આપણા જીવનનો જ એક ભાગ બની જશે. તેઓએ કહ્યું કે આ ગરમીના અંત સુધી આપણી પાસે એ વાતના સબૂત પણ મળી જશે કે વેક્સીન કામ કરશે કે કેમ.

તો લોકડાઉનને લઇને પ્રોફેસર ગુપ્તાએ કહ્યું કે આ એક સારુ પગલું છે પરંતુ વાયરસનો મુકાબલો કરવા માટે તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી ન શકાય. વાયરસને નિયંત્રિત કરવા માટે લોકડાઉન એક સમજદારી ભર્યો વિચાર છે પરંતુ વગર દવાએ તેનો ઉપયોગ વાયરસને લાંબા સમય સુધી બહાર રાખવો મુશ્કેલ કામ છે.

વાયરસની બીજી લહેરને લઇએ તેઓએ કહ્યું કે જે વાયરસના પ્રસારની બીજી લહેર કહેવામાં આવે છે હકિકતમાં આ પહેલી જ લહેર છે જે વિભિન્ન ભૌગોલિક ક્ષેત્રોમાં પહોંચી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page