અભિનેત્રી પાયલ ઘોષે તાજેતરમાં અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પાયલ કહે છે કે અનુરાગે તેની સાથે બળજબરી કરી હતી. પાયલે અનુરાગ પર આરોપ લગાવ્યા બાદ ટ્વિટર પર તે ટ્રેન્ડ કરી રહી છે. જણાવી દઈએ કે, પાયલે હિન્દી, દક્ષિણ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. પાયલે 2017માં આવેલી ફિલ્મ ‘પટેલની પંજાબી શાદી’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં પરેશ રાવલ અને ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
પાયલ ટીવીના લોકપ્રિય શો સાથ નિભાના સાથિયામાં પણ જોવા મળી છે. તે શોમાં રાધિકાની ભૂમિકામાં જોવા મળી હતી.
પાયલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઘણા ગ્લેમરસ ફોટા શેર કરે છે.
જણાવી દઇએ કે આ પહેલા અભિનેત્રી પાયલ ઘોષે થોડાં વર્ષો પહેલા પેનિક એટેક આવવા પર અને દવાઓ લેવાને કારણે વજન વધવા જેવા અનુભવો વિશે ખુલીને વાત કરી હતી. પાયલે કહ્યું હતું કે તે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળી હતી.
પાયલે કહ્યું હતું કે, ‘2 વર્ષ પહેલા મારું વજન 72 કિલો હતું કારણ કે મને પેનિક એટેક આવતા હતા અને દવાઓના કારણે મારું વજન વધી ગયું હતું. મેં કસરત પણ નહોતી કરી કારણ કે મને ડર હતો કે મારા ધબકારા વધી જાય તો હું મરી જઈશ.’