Only Gujarat

Bollywood

મીરા અને શાહિદ બેડ પર જતા પહેલા એકબીજાને પહેલી વસ્તુ શું બોલે છે? જણાવ્યા સિક્રેટ્સ

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જોડી બી-ટાઉનના પસંદગીના કપલ્સમાંથી એક છે. 7 જુલાઈએ બંનેએ પોતાના લગ્નની પાંચમી વર્ષગાંઠ મનાવી. મીરાએ ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથે કેટલાક ફોટો શેર કર્યા અને વેડિંગ એનિવર્સરીની શુભકામના આપી. આ કપલે અનેક વાર ઈન્ટરવ્યૂમાં પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરી છે. એક ચેટ શોમાં શાહિદ અને મીરાએ પર્સનલ લાઈફ વિશે ખુલાસો કર્યો હતો.

થયું એવું કે, બંનેની જોડી એકવાર નેહા ધૂપિયાના ચેટ શો નો ફિલ્ટર નેહામાં પહોંચ્યા હતા. આ વાતચીત દરમિયાન મીરા કપૂરે બેડરુમ સીક્રેટ વિશે જણાવ્યું હતું. તેમણે પતિ શાહિદને લઈને કહ્યું હતું તે ખૂબ જ કંટ્રોલ મિજાજમાં રહેવાનું પસંદ કરે છે. તે મોટા ભાગે ખુદ જ વસ્તુઓને લઈને તેને ગાઈડ કરતા રહે છે કે શું કરવાનું છે અને શું નહી.

સાથે જ એક શોમાં શાહિદ કપૂરને પુછવામાં આવ્યું હતું કે તે બેડ પર જતા પહેલા તે અને પત્ની મીરા એકબીજાને પહેલી વસ્તુ શું બોલે છે? જેના પર શાહિદે હસીને જવાબ આપ્યો, ‘આઈ લવ યૂ’.

મીરા રાજપૂતે એ શો પર વાતચીત દરમિયાન શાહિદ કપૂરની સૌથી વધુ પરેશાન કરનારી આદત વિશે પણ જણાવ્યું હતું. મીરાએ કહ્યું હતું કે તે ખૂબ જ ઓડકાર ખાય છે, જે તેમને પસંદ નથી.

આ જ રીતે શાહિદે મીરા વિશે જણાવ્યું હતું કે તે 3-3 ધાબળા ઓઢીને સુએ છે અને પછી ફરિયાદ કરે છે કે તેને બહુ જ ગરમી લાગે છે. ત્યારે જો શાહિદ એસી ચાલુ કે તો તેનો ધાબળો પણ ખેંચી લે છે. જે બાદ તેમણે પણ ધાબળા વગર સુઈ જવું પડે છે.

બંનેના સફળ લગ્નને સફળ બનાવીને રાખતી સૌથી જરૂરી વસ્તુ વિશે વાત કરતા એકવાર મીરા રાજપૂતે જણાવ્યું હતું કે, તેમના સાસુ સસરા તેમના જીવનમાં દખલ નથી કરતા. શાહિદ-મીરાના સંબંધોને કઈ વસ્તુ નુકસાન પહોંચાડી શકે છે તેના વિશે મીરાએ જણાવ્યું કે તે બોર નથી થતા. બંનેના ફિઝિકલ રિલેશન પણ સારા છે. તો એવામાં એકબીજાને ચીટ કરવું કદાચ તેમના માટે સમસ્યાનું કારણ બની શકે છે.

You cannot copy content of this page