મુંબઈ: દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ડર ફેલાયેલો છે. હજી પણ અનેક લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી રહ્યા છે અને રોજ અનેક લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. ભારતમાં આ મહામારીની અસર ઓછી નથી થઈ. અહીં પણ રોજ અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે. જો કે, સરકારે લૉકડાઉન તો હટાવી દીધું છે પરંતુ સેલેબ્સ પણ સામાન્ય લોકોની જેમ જ લોકો ઓછા બહાર નીકળે છે.
એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા કહાની-કિસ્સાઓ, ફોટોસ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ વચ્ચે જ ખબર આવી છે કે સુષ્મિતા સેનની ભાભી ચારુ અસોપાએ ઈન્ટસ્ટાગ્રામ પરથી પોતાના લગ્નના તમામ ફોટોસ ડિલીટ કરી દીધા છે.
હજી તો એક વર્ષ જ થયું છે લગ્નને
ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા અને સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેને ગયા વર્ષે 7 જૂને કોર્ટ મેરેજ કર્યા હતા. આ વચ્ચે એવી ખબરો સતત આવતી રહી છે કે બંનેનો સંબંધ તૂટવાની અણી પર છે. એવામાં ચારુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી લગ્નના તમામ ફોટોસ ડિલીટ કરી દીધા છે. જણાવી દઈએ કે કોર્ટ મેરેજ કર્યા બાદ તેમણે હિંદૂ રીતિ-રિવાજથી 16 જૂન, 2019ના ગોવામાં લગ્ન કર્યા હતા.
પત્નીને છોડીને દિલ્લીમાં બેઠા છે રાજીવ
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજીવ પોતાની પત્ની ચારુ સાથે લડાઈ કરીને દિલ્લી ચાલ્યા ગયા છે. 29 મેથી રાજીવ દિલ્લીમાં જ રહી રહ્યા છે. જણાવી દઈએ કે આ બીજી વાર છે જ્યારે ચારુ અને રાજીવના ઝઘડાની ખબરો સામે આવી છે. કેટલાક સમય પહેલા પણ દાવો કરવામાં આવ્યો હતો કે કપલ વચ્ચે ઝઘડો થયો હતો.
લગ્ન બાદ જ શરુ થઈ ગયા હતા ઝઘડા
સૂત્રોનું માનીએ તો લગ્નની શરુઆતથી બંને વચ્ચે મતભેદ થવાના શરુ થઈ ગયા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લડાઈ બાદ જ બંને એકબીજા સાથે વાત નથી કરતા. એટલું જ નહીં ચારુએ પોતાના પતિને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો છે અને પોતાની અટક પણ બદલી નાખી છે.
રાજીવનું કહેવું છે કે હાલ તે દિલ્લીમાં જીવનની મજા લેવા માંગે છે. જણાવી દઈએ કે રાજીવ અને ચારુના ઈન્ટીમેટ ફોટોસે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો, જે બાદ કપલ બહુ જ ટ્રોલ થયા હતા.