Only Gujarat

FEATURED National

લગ્નના 12 વર્ષ બાદ પતિએ પત્ની સાથે એવું કર્યું કે પોલીસની આંખોમાં પણ આવી ગયું પાણી!

પટિયાલાઃ પંજાબના પટિયાલામાં એક વર્ષથી ગુમ 32 વર્ષીય પરિણીતાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે મહિલાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. જે સંપૂર્ણ રીતે નિર્મમ હત્યા કરવા માટે તૈયાર કરેલી ખતરનાક યોજનાનો ભાગ હતો.

પટિયાલાના સન્નોરમાં રમનદીપ કૌર એક વર્ષથી ગુમ હતી. આ અંગે પોલીસે ખુલાસો કર્યો કે પરિણાતાની હત્યા તેના પતિએ ગળુ દબાવીને કરી હતી. આ ઘટનાની જાણ કોઈને ના થાય તે માટે મૃતદેહ બોસર બીડ પાસે રજવાહા ખાતે ફેંકી દીધો હતો. જ્યાંથી પોલીસે એક હાડપિંજર કબ્જે કર્યું છે. આ હાડપિંજર પરિણીતા રમનદીપનું હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે.

સન્નોરના એસઆઈ કરમજીત સિંહે જણાવ્યું કે, ઓક્ટોબર 2019માં શિવ કોલોની બોલડ રોડ સન્નોર પર રહેતી રમનદીપ (32) અચાનક ગુમ થઈ ગઈ હતી. તેની માતા પરમજીત કોર અને પિતા દીપ સિંહની ફરિયાદ અનુસાર રમનદીપના લગ્ન 12 વર્ષ અગાઉ આરોપી બલજીત સિંહ સાથે થયા હતા. તેમના 2 બાળકો પણ છે. જમાઈ ઘણીવાર દીકરી સાથે ઝઘડતો હતો અને તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો.

દીકરીના ગુમ થવા પર તેણે કહ્યું હતું કે, રમનદીપ કોઈની સાથે ભાગી ગઈ. અમુક મહિના સુધી રમનદીપ પરત ના આવતા આરોપીએ બીજા લગ્ન કરી લીધા હોવાનું મૃતકના માતા-પિતાએ જણાવ્યું.

રમનદીપ કોરની માતાએ વારંવાર પ્રશ્ન કરતા આરોપીએ સ્વીકાર્યું કે, તેણે તેમની દીકરીની ગત વર્ષે જ ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. આ ઉપરાંત લાશને ઠેકાણે લગાવવાના સ્થળ વિશે પણ જાણ કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેના જણાવ્યાં અનુસારના સ્થળેથી એક હાડપિંજર કબજે કર્યું હતું. આ મામલે જરૂર પડ્યે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે.

You cannot copy content of this page