Only Gujarat

FEATURED Gujarat

ધીરૂભાઈ અંબાણીના પરિવારનો આંબો, પરિવારમાં કોણ-કોણ છે તેની પર કરો એક નજર

ભારતના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરનાર ધીરૂભાઇ અંબાણીની આજે દિવસ છે. ધીરુભાઇ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના જુનાગઢ જિલ્લાના એક નાના ગામ ચોરવાડમાં થયો હતો. તેઓ 1932થી લઈને 2002 સુધી સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતાં કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી.

1977માં અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા હતાં. ધીરુભાઈ અંબાણીના કોકિલાબેન સાથે લગ્ન થયા હતાં અને બે દીકરા મુકેશ અને અનિલ અંબાણી તથા બે દીકરીઓ નિતા કોઠારી અને દીપ્તી સલગાંવકર છે.

આજે અમે અહીં અંબાણી પરિવારનો આંબો એટલે કે ધીરૂભાઇ અંબાણીના પરિવારની તસવીરો થકી માહિતી આપી રહ્યાં છીએ. જેમાં ધીરૂભાઇને કેટલા સંતાનો હતા, ધીરૂભાઇ અંબાણીના સંતાનો અંગે જણાવવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી તેના પર નજર કરીએ…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરીકે દેશનું સૌથી મોટું બિઝનેસ એમ્પાયર ઉભું કરનારા ધીરુભાઇ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના જુનાગઢ જિલ્લાના એક નાના ગામ ચોરવાડમાં થયો હતો.

ધીરુભાઇનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું. ખુબ જ નાની ઉંમરથી તેઓએ વિવિધ કામ શરૂ કરી દીધું. તેઓએ પકોડા પણ વેંચ્યા અને યમનમાં પેટ્રોલ પંપ પર નોકરી પણ કરી પરંતુ પોતાની મહેનત અને બુદ્ધીથી એક મોટું વ્યાપારિક સામ્રાજ્ય ઉભું કરવામાં સફળ રહ્યાં.

ધીરુભાઇએ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી તે તેમના પુત્ર મુકેશ અંબાણીના નેતૃત્વમાં સતત આગળ વધી રહી છે. ધીરુભાઇ અંબાણીનું મૃત્યુ 6 જુલાઇ 2002ના રોજ હ્યદય રોગના હુમલાથી થયું. એ સમયે તેમની સંપત્તિ 62 હજાર કરોડ રૂપિયાથી વધુ હતી. ધીરુભાઇ અંબાણી પોતાની પત્ની કોકિલાબેનને ખુબ જ પ્રેમ કરતાં હતા.

કોકિલબેનનું કહેવું છે કે તે કોઇપણ મહત્વપૂર્ણ નિર્ણય તેમને પુછ્યા વગર કરતાં ન હતા. ધીરુભાઇના નિધન બાદ કોકિલાબેને મુદ્રા વેબસાઇટને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેઓએ પતિ સાથે જોડાયેલી યાદો શેર કરી હતી. જેનાથી જાણવા મળે છે કે ધીરુભાઇ એક મોટા ઉદ્યોગપતિ હોવાની સાથે જ પોતાની પત્નીને ખુબ જ પ્રેમ કરનારા વ્યક્તિ પણ હતા.

ધીરુભાઇના મનમાં પત્ની માટે એટલો પ્રેમ અને ઇજ્જત હતી કે તેઓ દરેક નવા કામની શરૂઆત તેમના હાથે જ કરાવતા હતા. તેઓ દરેક કાર્યક્રમમાં તેમને સાથે લઇ જતા હતા. ધીરુભાઇ અંબાણી જે કોઇપણ પ્રોજેક્ટ શરૂ કરતાં હતા પહેલા એ અંગે કોકિલાબેન સાથે જરૂર ચર્ચા કરતા હતા.

કોકિલાબેનને ધીરુભાઇનો પ્રેમ વ્યક્ત કરવાનો અલગ જ અંદાજ હતો જે તેઓને ખુબ પસંદ પણ હતો. કોકિલાબેને જામનગરમાં ક્યારેય કોઇ મોટી ગાડી કે કાર જોઇ ન હતી. તેઓએ કહ્યું કે એક વખત હું ચોરવાડથી અદેન શહેર માટે નીકળી પરંતુ ત્યાં પહોંચ્યા પહેલા જ ધીરુભાઇનો ફોન આવ્યો કે મેં તારા માટે એક કાર લીધી છે અને પુછ્યું કે કારનો રંગ કેવો છે તો જવાબમાં કહ્યું કે ‘it is black, like me.’ કોકીલાબેને તેમનો આ જ અંદાજ ખુબ જ પસંદ હતો.

You cannot copy content of this page