ભારતીય પોષાક પહેરીને ‘રાધા કૃષ્ણ મંદિર’ પહોંચ્યા ન્યૂઝીલેન્ડના PM, ભક્તો જોતાં જ રહી ગયા
ભારતમાં રાધા-કૃષ્ણનાં ઘણાં મંદિરો છે, જ્યારે રાધા અને કૃષ્ણનાં વિદેશમાં પણ મંદિરો છે. આ દિવસોમાં ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ઓકલેન્ડના રાધા કૃષ્ણ મંદિરની મુલાકાત લેતી જોવા મળી રહી છે.
ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ભારતીય રંગમાં જોવા મળ્યા
સપ્ટેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલા ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડન મંદિરની મુલાકાત લીધી છે. આ સમય દરમિયાન, જેસિંડા આર્ડન ભારતીય રંગમાં જોવા મળી હતી અને તેણે બિંદી અને લિપસ્ટિક લગાવી હતી.
ભારતીય ભોજનનો આનંદ માણ્યો
આટલું જ નહીં, આ પ્રવાસ દરમિયાન, જેસિંડા આર્ડને ભારતીય ભોજનનો સ્વાદ પણ માણ્યો અને ભારતીય ભોજનનો આનંદ માણ્યો. જેસિંડાએ પુરી, ચણા અને દાળ જેવી વાનગીઓ પણ ચાખી હતી.
જેસિંડા આર્ડને મંદિરની મુલાકાત લીધી અને મંદિરમાં આવતા પહેલા જૂતા કાઢ્યા હતા.
ન્યુઝીલેન્ડમાં ભારતીય હાઈ કમિશનર મુક્તેશ પરદેસીએ પણ ટ્વિટ કરીને લખ્યું છે, “વડા પ્રધાન જેસિંડા આર્ડન સાથે ‘ઇન્ડિયન ન્યૂઝ લિંક’ કાર્યક્રમ દરમિયાન 6 ઓગસ્ટ, 2020 ની કેટલીક કિંમતી ક્ષણો.” આર્ડને રાધા કૃષ્ણ મંદિરની ટૂંકી મુલાકાત લીધી અને ભારતીય વ્યંજન પુરી, છોલે અને દાળનો આનંદ માણ્યો.
જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડમાં કોરોનાના કેસને ઘટાડવા માટે ઘણા સમયથી અહીં કડક પગલા લેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 100 દિવસ પહેલા ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેસિંડા અર્ડને દેશને કોરોના મુક્ત હોવાનું જાહેર કર્યું હતું.