જમ્મુ-કાશ્મીરમાં આ ઐતિહાસિક તીર્થસ્થળ પાસે મળી રહસ્યમય ગુફા, શું છે પાંડવોનો તેની સાથે સંબંધ
જમ્મૂના સંભાગમાં અખનૂર કસ્બામાં લગભગ વીસ કિમી દૂર ઐતિહાસિક તીર્થસ્થળ સુમાહ ગામના નાગ દેવ જગ્યા પાસે જંગલમાં એક પ્રાકૃતિક ગુફા મળી છે. ખોદકામ ચાલું છે, ગુફામાં એક શિવલિંગ અને ઘણી અન્ય વસ્તુઓ મળવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. અત્યારે તેની સૂચના ન તો પુરાતત્વ વિભાગને આપવામાં આવી છે ન તો સ્થાનિક પોલીસને.
મળેલી માહિતી અનુસાર, સુમાહ ગામના પ્રાચીન ઐતિહાસિક નાગ દેવતા જગ્યાના મંદિરના પર્વતમાં ગુફા હોવાની શક્યતાથી મહંત દ્વારિકા દાસે ગામલોકોની મદદથી બે અઠવાડિયાં પહેલાં ખોદકામ શરૂ કરાવ્યું હતું.
અત્યાર સુધીમાં દોઢસો ફૂટનું ખોદકામ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ગુફામાં ત્રણ-ચાર ગુફાઓ મળી છે. રોજ પાંચ-દસ ફૂટનું ખોદકામ કરવામાં આવે છે. આ વિસ્તારમાં કુદરતી ગુફા મળવાની ચર્ચા બહુ ચાલી રહી છે.
સુમાહ દેવ સ્થાનમાં પહેલાંથી જ કુદરતી ગુફા છે. માન્યતા અનુસાર આ ગુફામાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન કેટલાક દિવસો પસાર કર્યા હતા. મંદિરના મહંત દ્વારિકા દાસે કહ્યું કે, ખોદકામ ચાલું છે. અત્યારે ગામલોકોની મદદથી કામ ચાલું છે. જરૂર પડશે તો સરકાર અને વહીવટી તંત્રની મદદ લેવામાં આવી શકે છે.
સરપંચ મદદલાલે જણાવ્યું કે, ગામમાં પહેલાંથી જ એક પ્રાચીન ગુફા છે જે નાગ દેવતાના ધાર્મિક સ્થળ રૂપે જાણીતી છે. અને બીજી એક પ્રાચીન ગુફા મળવી ખુશીની વાત છે.