કોરોનાના રોગચાળાથી આખું વિશ્વ ડરી ગયું છે. આ કોરોના વચ્ચે, આફ્રિકન દેશ નાઇજરમાં એક એવી ઘટના બની કે, બધા લોકોનાં હોંશ ઉડી ગયા. લોકોએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી કે હવે દુનિયા સમાપ્ત થઈ જશે.
હકીકતમાં, આફ્રિકન દેશ નાઇજરની રાજધાનીમાં એક મોટા પ્રમાણમાં રેતીનું તોફાન આવ્યું હતું.આ દરમિયાન આખું આકાશ અચાનક લાલ થઈ ગયું હતું. આકાશનો રંગ બદલાઈ ગયો. લોકો આ જોઈને પરેશાન થઈ ગયા અને ડરી ગયા હતા.
લોકોએ ટ્વિટર પર ફોટા મૂકવાનું પણ શરૂ કર્યું. લોકોએ લખ્યું કે નાઇજરમાં રેતાળ તોફાન પછી વાદળોનો રંગ બદલાયો અને લાલ થઈ ગયો. લોકડાઉન વચ્ચે સોશિયલ મીડિયા પર શેર કરેલી આ તસવીરો જોઈને લોકો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Zackaria નામના યૂઝરે લખ્યુકે એવું લાગે છેકે,માનો દુનિયા ખતમ થઈ જશે.
એક યુઝરે લખ્યું કે, આજે નાઇજરથી અવિશ્વસનીય ફોટા સામે આવ્યા છે. મારો ભાઈ અને તેનો પરિવાર અહીં રહે છે. નાઇજરમાં રેતીના તોફાનને કારણે વાદળો પણ લાલ થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, શુષ્ક સીઝન દરમિયાન, પશ્ચિમ આફ્રિકામાં તીવ્ર ધૂળવાળા પવન અને રેતીના તોફાનો આવે છે. આ દરમિયાન, ગાજવીજ અને તીવ્ર પવનો સાથે ધૂળ ઉભી થાય છે. ઘણી વાર આના કારણે આકાશ પણ લાલ થઈ જાય છે.
વાસ્તવમાં, લોકો આ ફોટા એટલા માટે પણ ખૂબ શેર કરી રહ્યાં છે કારણ કે આ પહેલા તેઓએ આવી કોઈ ઘટના જોઈ ન હતી. આકાશનું અચાનક લાલ થવું એ લોકો માટે એક અદ્ભુત ઘટના છે. આ જ કારણ છે કે આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
નાઇજરની રાજધાનીમાં, દિવસના 2 વાગ્યે હવામાન બદલાયું હતું કે લોકો સમજી શક્યા નહિ કે શું થઈ રહ્યુ છે. Juan Haro નામના યુઝરની વાતો પરથી એવું લાગી રહ્યુ હતુ.
નાઇજરની રાજધાનીમાં, દિવસના 2 વાગ્યે હવામાન બદલાયું હતું કે લોકો સમજી શક્યા નહિ કે શું થઈ રહ્યુ છે. Juan Haro નામના યુઝરની વાતો પરથી એવું લાગી રહ્યુ હતુ.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, લાંબા સમય સુધી ચાલેલાં રેતીના તોફાનને કારણે હવાઈ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરાઈ હતી.
માત્ર એટલું જ નહીં, અહેવાલો મુજબ કેટલાક લોકો એટલા ડરી ગયા હતા કે તેઓએ ઘરોને બદલે રસ્તાઓમાં દોડવાનું શરૂ કરી દીધું.
પરિસ્થિતિ એવી થઈ ગઈ કે લોકોને મકાનોની બાલ્કનીની બહાર કશું જ દેખાતું ન હતુ. આ સમય દરમિયાન, ખૂબ તેજીથી રેત ઉડી રહી હતી. દરેક લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા હતા અને તોફાન અટકવાની રાહ જોવા લાગ્યા હતા.
લોકોના વાહનો પણ બધે અટવાઈ ગયા હતા. અહેવાલો અનુસાર કેટલાક વાહનો ગમે ત્યાં થઈ ગયા હતા. જે લોકો રસ્તામાં હતા, તેઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેઓ ખરાબ રીતે ફસાયા હતા. જો કે, થોડા સમય પછી આ વાવાઝોડું બંધ થઈ ગયુ હતુ.