કોરોના વાયરસને લઈને દેશની ટોચની સંસ્થાનાં અભ્યાસમાં થયો મોટો ખુલાસો, જાણીને ખુશ થઈ જશો
તાપમાનમાં વધારો થતાં કોરોના ચેપમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે દેશની જાણિતી ટોચની સંસ્થાના અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરાઈ છે. નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સરેરાશ દિવસના તાપમાનમાં વધારો અને કોરોના ચેપમાં ઘટાડા વચ્ચે 85 થી 88 ટકા વચ્ચે ઉંડો સંબંધ જોવા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેટલું ઉંચું તાપમાન વધે છે તેટલો ઓછો વાયરસ ફેલાય છે.
જો કે, અભ્યાસમાં આ વાત ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છેકે, ભારતમાં બહુજ ગીચ વસ્તીને જોતા તાપમાન અને ભેજનાં ભરોસે સામાજીક દીરી અને લોકડાઉન જેવાં ઉપાયોને છોડવા જોઈએ નહી. કારણકે, અહીની પરિસ્થિતીમાં તે ઘણા કારગર સાબિત થશે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દિવસનાં સરેરાશ તાપમાન અને ભેજનું કોવિડ-19ના વધતા મામલાઓનાં સંબંધને લઈને એક અભ્યાસમાં આ વાત સામે આવી છેકે, મહારાષ્ટ્રમાં તાપમાન વધવાની સાથે કોરોનાનાં પ્રકોપ ઘટવાનો 85% સંબંધ છે. કર્ણાટકમાં તાપમાન વધવાને અને કોરોનાનો પ્રકોપ ઘટવાને 88 ટકાનો સંબંધ છે, અધ્યયનમાં જાણવા મળ્યું છે કે વાયરસ ઠંડી અને સૂકી સ્થિતિમાં લાંબા સમય સુધી જીવે છે. ઉદાહરણ તરીકે, તે 21-23 ડિગ્રી તાપમાનમાં સખત સપાટી પર 72 કલાક સુધી ટકી શકે છે.
25 ડિગ્રી કરતા વધુ તાપમાનમાં કેસો ઘટ્યાં
નીરીના અધ્યયન મુજબ, જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તાપમાન અને સંબંધિત ભેજના સરેરાશ ડેટાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે કોવિડ -19 કેસો જ્યારે દૈનિક સરેરાશ તાપમાન 25 ડિગ્રી અથવા તેથી વધુ હોય ત્યારે તેમાં ઘટાડો થયો હતો. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતનું વાતાવરણ કોરોના ચેપને રોકવામાં તુલનાત્મક રીતે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.
કોરોના ઠંડીમાં વધુ સક્રિય રહે છે
વાસ્તવમાં, કોરોના વાયરસ કે જેણે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, તેની ઉપર અન્ય કોરોના વાયરસની જેમ લિપિડનું સ્તર હોય છે. ઠંડીમાં, તેની બાહ્ય સપાટી કડક થઈ જાય છે, જેથી તેની ઉપર વધુ એક પડ થઈ જાય છે. અને વાયરસ વાયરસ વધારે ફ્લેક્સિબલ થઈ જાય છે. કારણકે આવા વાયરસ ઠંડીમાં વધારે સક્રિય થઈ જાય છે.
અભ્યાસમાં આ વાત ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છેકે, ભારતમાં બહુજ ગીચ વસ્તીને જોતા તાપમાન અને ભેજનાં ભરોસે સામાજીક દીરી અને લોકડાઉન જેવાં ઉપાયોને છોડવા જોઈએ નહી. કારણકે, અહીની પરિસ્થિતીમાં તે ઘણા કારગર સાબિત થશે.