Only Gujarat

National

કેનેડા જઈને આગળ ભણવા માંગતી હતી યુવતી, એક નિર્ણય બન્યો બરબાદીનું કારણ

જીંદ, હરિયાણાઃ ઘણીવાર એક ખોટો નિર્ણય જીવન બરબાદ કરી નાખે છે. એક યુવતી માટે તો એક નિર્ણય મોતનું કારણ બન્યો. 21 વર્ષીય યુવતીએ 9 મહિના અગાઉ લવમેરેજ કર્યા હતા. તેનો પતિ કોઈજ કામ કરતો નહોતો, તેથી તેણે દહેજની માંગ શરૂ કરી દીધી. યુવતી કેનેડા જઈ આગળ ભણવા માગતી હતી પરંતુ લૉકડાઉનના કારણે તેનું આ સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું નહીં. બેવડી મુશ્કેલીઓના કારણે યુવતીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આ કપલ લગ્ન બાદ ભાડાના મકાનમાં રહેતા હતા. તૃપ્તિ દિલ્હીના મંગોલપુરીની રહેવાસી હતી, જ્યારે તેનો પતિ સન્ના બરારખેડા ગામનો છે. 12 ઓગસ્ટની રાતે તૃપ્તિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. તૃપ્તિના પિતાએ આરોપ લગાવ્યો કે સન્ની દીકરી પાસેથી દહેજની માગણી કરી રહ્યો હતો. તૃપ્તિ બી.કોમના ત્રીજા વર્ષમાં ભણી રહી હતી અને કેનેડા જઈ આગળ ભણવા માગતી હતી. આ માટે તેણે ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર રાખ્યા હતા પરંતુ માર્ચમાં લૉકડાઉન લાગ્યા બાદ તે જઈ શકી નહીં. તૃપ્તિના પિતા રસિકલાલ અનુસાર, આ દરમિયાન જ પતિ સન્ની દહેજ માટે ત્રાસ આપવા લાગ્યો અને પોતાની પત્નીને માર મારતો હતો. આ અંગે તૃપ્તિએ ઘણીવાર પોતાના પરિવારજનોને માહિતી આપી. તપાસ અધિકારી એસઆઈ ભૂપ સિંહે જણાવ્યું કે, સન્ની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

માતા પહેલા પિતાને કર્યો કોલઃ તૃપ્તિ અને સન્નીએ 13 નવેમ્બર, 2019ના લવમેરેજ કર્યા હતા. રક્ષાબંધન પર તૃપ્તિ પિયર ગઈ હતી ત્યારે તેણે સન્ની દ્વારા અપાતા ત્રાસની માહિતી આપી હતી. 12 ઓગસ્ટની રાતે તેણે પોતાની માતાને ફોન કરી પોતાની પીડા વ્યક્ત કરી હતી. પરિવારજનો તેને લેવા પહોંચે તે પહેલા જ તેના આત્મહત્યાના સમાચાર તેમને મળ્યા.

રાતે અચાનક જાગી ‘માથાભારે પત્ની’, માછલી કાપવાના ચાકુથી પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો
માનસિક બીમાર પત્ની સાથે એક જ બેડ પર સુવાનો નિર્ણય 45 વર્ષીય પતિ માટે ઘાતક સાબિત થયો. કોલકાતામાં શનિવાર રાતે મહિલાએ માછલી કાપવાના ચાકુ વડે પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નંખ્યો. આ ઉપરાંત તેણે પતિના માથા પર પણ ચાકુ વડે પ્રહારો કર્યા હતા. તે પછી મહિલાએ પતિની લાશ પર ગોદળું નાંખી દીધું અને આરામથી સુઈ ગઈ. બીજા દિવસે સવારે તેણે બાળકોને રૂમમાં જઈ તેણે શું કર્યું છે તે જોવાનું કહ્યું. કપલના બંને દીકરાએ રૂમમાં જઈ જોયું અને ગોદળું હટાવ્યું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો એહસાસ થયો. કપલ વચ્ચે મતભેદો હતો. હાવડા જીલ્લાના માલિપુકુરના જુજાર્શા ગામમાં 45 વર્ષીય પત્ની મોહસિન મલિક અહીં આરોપી પત્ની માનિરા તથા 2 બાળકો સાથે રહેતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલાની માનસિક સ્થિતિ ઘણા સમયથી સારી નથી. તેનો પતિ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને તેણે તેનો જ બદલો લીધો હશે તેમ મનાય રહ્યું છે. મહિલા ઘણીવાર પોતાના પતિ પર હાવી રહેતી. જોકે બાળકો વચ્ચે પડી તેમને અલગ કરતા હતા. પતિની હત્યા કર્યા બાદ પણ મહિલાના ચેહરા પર તેની જરાય અસર જોવા મળી નહોતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી.

You cannot copy content of this page