જ્યારે કોઇને સંબંધોમાં દગો કે બેવફાઇ મળે છે તો તેનું દિલ તૂટી જાય છે. ઘણા લોકો અંદરથી એટલા તૂટી જાય છે કે પોતાની જાતને સંભાળી શકતા નથી. બાદમાં તેઓ ન ઇચ્છતા હોવા છતા ખતરનાક પગલુ ભરવા મજબૂર થઇ જાય છે. આવું જ કંઇક વડોદરામાં સામે આવ્યું છે. અહીં ત્રણ બાળકોની માતા અને છૂટ્ટાછેડ્ડા લીધેલી મહિલાએ પ્રેમમાં દગો મળતા આ દુનિયાને અલવિદા કરી ગઇ.
આ હેરાન કરનારી ઘટના મંગળવાર 9 જુને બની. અહીં એક બેંકર સ્વાર એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે રહેતી 33 વર્ષિય ઇશા દેસાઇએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો કરી તપાસ હાથ ધરી છે.
જાણકારી પ્રમાણે ઇશા દેખાઇએ થોડા વર્ષ પહેલા એક મહારાષ્ટ્રના યુવકના પ્રેમમાં પડ્યા બાદ લગ્ન કર્યા હતા. પરંતુ બંને વચ્ચે અવાર નવાર નાની મોટી વાતે ઝઘડો થવાનું શરૂ થઇ ગયું. આ લગ્નજીવન દરમિયાન તેને સંતાનમાં ત્રણ બાળકો થયા. અવાર નવાર પતિ સાથે ઝઘડાથી કંટાળી એક દિવસ મહિલાએ પતિને તલાક આપી દીધો અને બાળકો સાથે એકલી રહેવા લાગી.
ઇશા એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરતી હતી. આ દરમિયાન તેની મુલાકાત ચેન્નઇના એક યુવક સાથે થઇ. બંને પહેલા મિત્રો બન્યા અને બાદમાં મિત્રતા પ્રેમમાં પરીણમી હતી. યુવકે ઇશાને લગ્ન કરવાનો વાયદો કર્યો હતો.
તે પોતાનું નવું જીવન ફરીથી શરૂ કરવાને લઇને ખુબ જ ખુશ હતી. પરંતુ જ્યારે ઇશા જાણવા મળ્યું કે એ યુવક પહેલાથી જ પરિણીત છે તો તેને મોટો આઘાત લાગ્યો અને દુઃખી થઇને તે પોતાના રૂમમાં જતી રહી.
થોડા સમય બાદ જ્યારે તેની માતાએ તેનો રૂમનો દરવાજો ખખડાવ્યો તો તેણીએ ખોલ્યો નહીં. ત્યારબાદ માતાએ કારપેન્ટરને બોલવી દરવાજો ખોલાવ્યો. અંદર જોયું તો તેની દિકરી ઇશાની લાશ ફાંસીના ફંસા સાથે લટકાઇ રહી હતી. પછી મહિલાએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર માલમે પોલીસ તપાસ કરી રહી છે.