ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જે અંગે જાણીને તમને નવાઇ લાગશે. અહીં એક શખ્સની હત્યાના ષડયંત્રમાં તેની જ પત્ની અને પુત્રીએ પોતાના પ્રેમી સાથે મળીને રચ્યું હતું. પ્રેમીઓએ ઘટનાને અંજામ પણ આપી દીધો જો કે તપાસમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ ગયું. તપાસમાં બહાર આવ્યું કે આરોપી માતા-પુત્રીએ પોતાના આડાસંબંધનો ખુલાસો થવાને કારણે હત્યાને અંજામ આપ્યો.
બુલંદશહેર પોલીસે થોડા દિવસ પહેલા એક હત્યાકાંડનો ખુલાસો કર્યો. આ મામલામાં મૃતકની પત્ની અને પુત્રીને તેના પ્રેમીઓ સાથે ધરપકડ કરવામાં આવી. હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલો ડંડો અને પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી. પહાસુના ગામ જટોલામાં રહેતા 40 વર્ષિય ખેડૂત બલવીર સિંહની હત્યા કોઇ અન્યએ નહીં પરંતુ તેની જ પત્ની અને પુત્રીએ પોતાના પ્રેમીઓ સાથે મળી કરાવી નાખી હતી. આ વાતનો ખુલાસો થતા જ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી હતી.
મૃતકની પત્ની અને તેની પુત્રીના હેમંત અને ગોલુ નામના યુવકો સાથે આડાસંબંધ હતા. આ વાતની ભનક બલવીર સિંહને થઇ ગઇ તો તેણે આડાસંબંધનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. જેથી માતા-પુત્રીએ પોતાના પ્રેમી સાથે મળી બલવીર સિંહની હત્યાનું ષડયંત્ર રચ્યું. બધાએ સાથે મળી કોઇને ખબર ન પડે એવી રીતે હત્યાકાંડને અંજામ આપ્યો.
9 જુલાઇએ જ્યારે બલવીર સિંહ એક મોબાઇલ ખરીદી પોતાના ઘરે પહોંચ્યો ત્યારે કોઇએ ફોન કરી બોલાવ્યો ત્યારબાદ તે ઘરે પરત ફર્યો નહીં. 11 જુલાઇએ તેનો મૃતદેહ લોહલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. હત્યારાઓએ લાશની ઓળખ ન થાય તે માટે તેના મોઢા પર તેજાબ પણ નાખ્યું હતું.
મૃતકની ઓળખ થયા બાદ પોલીસે શંકાના આધારે તેની પત્ની અને પુત્રીની પુછપરછ કરી તો સમગ્ર હકિકત સામે આવી હતી.આ મામલામાં એસીપી બુલંદશહર સંતોષ કુમાર સિંહનું કહેવું છે કે તમામ આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
આ હત્યાને ખુબ જ જીણવટભર્યું પ્લાનિંગ કરી અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ મૃતકની પત્ની અને મૃતકના ફોનને સર્વિલાન્સ પર રાખી બંનેની હરકતો પર નજર રાખી રહી હતી. ત્યારે શંકાસ્પદ હિલચાલ અને આકરીઢબે પુછપરછ બાદ સમગ્ર હકિકત સામે આવી ગઇ હતી. મૃતક પર પહેલા ડંડાથી વાર કરવામાં આવ્યો પછી ગોળી મારવામાં આવી હતી.