મુંબઈ: બોલીવુડની મુન્ની એટલે કે મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે કોરોનાથી સંક્રમિત થઈ હતી, જે બાદ તેણે પોતાને ઘરમાં ક્વોરન્ટાઈન કરી હતી. જો કે હવે મલાઈકા એકદમ સ્વસ્થ છે, પરંતુ કોરોનામાં તેની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તે સ્વસ્થ થતા જ સલૂન પહોંચી હતી.
મલાઈકા અરોરા ઠીક થયા બાદ ઘરથી બહાર નિકળી અને સીધા સલૂનમાં જતી જોવા મળી અને જાણીતા પાપારાઝી વિરલ ભાયાણીના કેમેરાએ તેને કેદ કરી લીધા.
જણાવવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરાના ઘરની પાસે જ સલૂન છે. એટલે તે ઠીક થયા ગયા બાદ તે ત્યાં પહોંચી.
વિરલે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર મલાઈકા અરોરાનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં સલૂન એક્સપર્ટ મલાઈકાના વાળને ઠીક કરતા જોવા મળી રહ્યા છે. જેને જોઈને એવું લાગી રહ્યું છે કે તે હેર સ્પા કરાવવા ગઈ હશે.
મલાઈકા અરોરાને તરત કોરોના વાયરસથી ઠીક ગયા બાદ સલૂનની બહાર જોઈને સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. યૂઝર્સ એ પણ સવાલ કરી રહ્યા છે કે તે ઘરથી બહાર કેમ ચાલી ગઈ? તેઓ પૂછી રહ્યા છે કે કોરોનાથી સાજા થયા બાદ કેમ સલૂન જવું જરૂરી હતુ?
તમને જણાવી દઈએ કે મલાઈકા સ્વસ્થ થયા બાદ પોતાની જર્ની પણ શેર કરી ચુકી છે. મલાઈકાએ કોરોનાથી સ્વસ્થ થયાના સમાચાર ઈન્સ્ટાગ્રામ પર આપી હતી. સાથે જ લખ્યું હતું કે રૂમમાંથી બહાર નિકળવું પણ આઉટિંગ જેવું છે.