મુંબઈઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ હોય અથવા કોઈ ઇવેન્ટ્સ, ઐશ્વર્યા દરેક જગ્યાએ તેમની દીકરીનો હાથ પકડી રાખે છે. ઐશ્વર્યાનું આવું કરવાનું એક કારણ છે. જે અમે તમને આજે જણાવીશું.
આવું કેમ કરે છે ઐશ્વર્યા
દરેક મા-બાપ પોતાના બાળકોને ખતરાથી દૂર રાખવા માગે છે અને હંમેશા પ્રોટેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે. ઐશ્વર્યા પોતાની દીકરી માટે ઓવરપ્રોટેક્ટિવ થવા માટે ઘણી આલોચનાનો સામનો કરે છે, પણ એવું કરવા પાછળનું કારણ તેમની દીકરી પ્રત્યેની લાગણી છે. ઐશ્વર્યા રાય બચ્ચન બહાર હંમેશા દીકરીનો હાથ કેમ પકડી રાખે તેનું કારણ દરેક મા-બાપ સમજી શકે છે.
ઐશ્વર્યાની પેરેન્ટિંગ સ્ટાઇલ
એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું હતું કે, ‘શું પોતાની દીકરીને અંગે પ્રોટેક્ટિવ છે?’ જેના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું કે, ‘આરાધ્યાએ ખૂબ જ નાની ઉંમરથી લાઇમલાઇટ જોઈ છે. ઘણીવાર તે ખુશ થઈને ફોટો ક્લિક કરાવે છે, પણ ઘણાં ફોટોગ્રાફર્સને જોઈ તે પાછી આવવા લાગી હતી. હું બસ ઇચ્છુ છું કે દરેક લોકો સુરક્ષિત રહે અને મારું બાળક પણ સુરક્ષિત રહે.’
દીકરી માટે પ્રોટેક્ટિવ છે ઐશ્વર્યા
ઐશ્વર્યા કહે છે કે તેમની આસપાસ મીડિયા, ફોટોગ્રાફર્સ અને લોકોની ભીડ હોય છે અને તેમની દીકરી ખૂબ જ નાની છે એટલે તેને ભીડથી બચાવવી પડે છે. તે એક પેરેન્ટ્સ હોવાને લીધે પોતાના બાળકોને સુરક્ષિત અને પોતાની નજીક રાખવા માગે છે. ઐશ્વર્યાની આ વાત સાંભળી તમારું દીલ ઓગળી જશે.
દીકરી પછી બદલાઈ ગઈ જિંદગી
ઐશ્વર્યા કહે છે કે, તે પોતાને સમય દીકરી સાથે જ પસાર કરવા માગે છે. આરાધ્યા થયાં પછી ઐશ્વર્યા ખુદ જ તેના દરેક કામ કરે છે અને નૈનીની મદદ ઓછી લે છે. એક્ટ્રસ કહે છે કે, આરાધ્યા જ તેમની સૌથી મોટી પ્રાયોરિટી છે અને તેમના માટે તે બધું જ પછી આવે છે.