Only Gujarat

National

લૉકડાઉન માત્ર ગરીબો ને મધ્યમવર્ગ માટે જ છે! આ તસવીરો કંઈક એ તરફ જ કરે છે ઈશારો

દતિયાઃ કોરોના વાયરસના ખતરાને ધ્યાને રાખી દેશભરમાં 3 મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. લોકડાઉનના નિયમ પ્રમાણે કોઇપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કારમાં સામેલ થનારા લોકોની સંખ્યા 5થી વધુ ના હોવી જોઇએ. પરંતુ દેશમાં ઘણા એવા લોકો છે જેઓ લોકડાઉનને મજાક સમજી રહ્યાં છે. મધ્યપ્રદેશના દતિયામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું કે આ નિયમ કાયદા માત્ર સામાન્ય લોકો માટે જ છે કારણ કે વીવીઆઇપી લોકો તો તેનું પાલન કરતાં નથી.

દતિયા જિલ્લાના સેંવઢાથી કોંગ્રેસ ધારાસભ્ય ઘનશ્યામ સિંહના ભાઇ મહારાજ રાજેન્દ્ર સિંહ જુદેવનું બુધવાર 15 એપ્રિલે ગ્વાલિયર સિમ્સ હોસ્પિટલમાં નિધન થઇ ગયું હતું. બાદમાં બીજા દિવસે એટલે 16 એપ્રિલ ગુરુવારે સવારે દતિયા કિલા મહેલથી રાજ પરંપરાઓ પ્રમાણે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ધારાસભ્યના ભાઇની અંતિમ યાત્રામાં પૂર્વ મંત્રી પ્રિયવ્રત સિંહ સહિત અનેક લોકો જોડાયા હતા. આ દ્રશ્ય જોઇને એવું લાગી રહ્યું હતું કે આ વિસ્તારમાં લોકડાઉન જેવું કશું જ નથી. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને અંતિમયાત્રામાં ફૂલ વરસાવી રહ્યાં હતા. જોકે આ દરમિયાન લોકોએ માસ્ક પહેરી રાખ્યું હતું.

અંતિમ સંસ્કાર ગુરુવાર સવારે 10.30 વાગ્યે 7 પંડિતોની હાજરીમાં કરવામાં આવ્યા. મહારાજ રાજેન્દ્ર સિંહ જુદેવ મુખાગ્નિ તેના એકમાત્ર દીકરા યુવરાજ અરુણાદિત્ય દેવે આપી હતી.

ધારાસભ્ય ઘનશ્યામ સિંહના ભાઇ મહારાજ રાજેન્દ્ર સિંહ જુદેવના અંતિમ સંસ્કારમાં લોકડાઉનનું કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

મહારાજ રાજેન્દ્ર સિંહ જુદેવ દતિયા રિયાસતના મહારાજા હતા, જ્યાં તેમના ભાઇ ઘનશ્યામ સિંહ કોંગ્રેસ ધારાસભ્ય છે. તો તેમના પિતા મહારાજ કૃષ્ણ સિંહ જુદેવ દતિયાથી સાંસદ રહી ચૂક્યા છે.

તસવીરમાં દેખાતા આ દતિયા જિલ્લાના સેંવઢાથી કોંગ્રેસ ધારાસભ્ય ઘનશ્યામ સિંહ છે. જે મૃતક મહારાજ રાજેન્દ્ર સિંહ જુદેવના નાના ભાઇ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page