Only Gujarat

FEATURED National

પતિએ કરંટ આપી પત્નીની કરી કાતિલ હત્યા, જાણો કેવી રીતે ખુલ્યું હત્યાનું રહસ્ય

કેરળના તિરૂવનંતપુરમમાં વીજળીનો કરંટ આપીને પત્નીની હત્યા કર્યાની ઘટનાથી ખળભલાટ મચી ગયો હતો. પત્નીની હત્યા બાદ આરોપી પતિએ તપાસને ખોટા રસ્તે લઈ જવા માટે પોલીસને કહ્યું કે, ક્રિસમસ સમયે ઘરમાં જે ફેન્સી લાઈટો લગાવી હતી તેના કારણ કરંટ લાગ્યો હતો અને તેની પત્નીનું મોત થયું હતું. જોકે પોલીસે પતિની ધરપકડ કરી છે અને હાલ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે આખી ઘટના?
જોકે તિરૂવનંતપુરમના કારાકોણમ એરિયામાં51 વર્ષની શાખાકુમારી પોતાના 28 વર્ષના પતિ અરૂણની સાથે રહેતી હતી પરંતુ ગયા શનિવારની રાતે તેનું ઘરમાં જ મોત નિપજ્યું હતું. શરૂઆતની તપાસાં અરૂણે કહ્યું કે, ક્રિમસમના કારણે આખા ઘરન લાઈટોથી શણગાર્યું હતું. પરંતુ તે લાઈટના કરંટની ઝપેટમાં આવી ગઈ હતી અને શાખાકુમારીનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, અરૂણની પત્નીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ ત્યાં ડોક્ટરે તેના મોતની પૃષ્ટિ કરી હતી.

કેવી રીતે થયો ખુલાસો
પરંતુ જ્યારે પોલીસે આ કેસની તપાસ કરતાં તેના ઘરમાં લોહીના ટીપા જોવા મળ્યા હતાં. જેના કારણે ટીમને શાખાકુમારીના મોત મામલે શંકા થઈ હતી. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ ખબર પડી કે આ કપલે થોડા મહિના પહેલાં જ લગ્ન કર્યાં હતાં અને તેમની વચ્ચે પહેલાંથી જ વૈવાહિક વિવાદ ચાલતો હતો.

તલાકને લઈને થયો હતો ઝઘડો
કહેવામાં આવી રહ્યું છે કે, અરૂણ સતત તલાકની ડિમાન્ડ કરી રહ્યો હતો. જ્યારે શાખાકુમારી તલાક આપવાની ના પાડી રહી હતી. જેને લઈને બન્ને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. આરોપ છે કે, અરૂણ પત્નીની પ્રોપર્ટી લેવા માગતો હતો. આ પહેલા પણ તેણે પોતાની પત્નીને ઈલેક્ટ્રિક શોક આપવાની કોશિશ કરી હતી પરંતુ ત્યારે તે પોતાના ઈરાદામાં સફળ થયો નહતો.

પોલીસે જ્યારે અરૂણની કડક પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુન્હો કબૂલ્યો હતો. તેણે કહ્યું કે, હાં મેં જ મારી પત્નીને ઈલેક્ટ્રિક શોક આપીને હત્યા કરી છે.

You cannot copy content of this page