Only Gujarat

Bollywood

બોલિવૂડ એક્ટ્રેસ હોવા છતાંય કરિશ્મા કપૂરને સાસુમા ઝૂડી નાખતા, પતિ કરતો હતો આવો અત્યાચાર

મુંબઈ: કરીના કપૂર બીજી વાર પ્રેગનન્ટ છે, તો તેની જ મોટી બહેન એટલે કે કરિશ્મા કપૂર પતિ સંજય કપૂરથી છૂટાછેડા લીધા બાદ પોતાના બંને બાળકો સાથે અલગ રહે છે. કરિશ્માએ 29 સપ્ટેમ્બર 2003ના દિવસે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. આ કરિશ્માના પહેલા અને સંજયના બીજા લગ્ન હતા. જો કે લગ્નના 9 વર્ષ બાદ બંનેના સંબંધોમાં અણબનાવ થવા લાગ્યા અને 2012માં તેઓ અલગ પડી ગયા. બાદમાં 2014માં બંનેએ પરસ્પર સહમતિથી છૂટછેડાની અરજી કરી અને લાંબી પ્રક્રિયા બાદ 2016માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ કરિશ્મા કપૂરને પોતાના બંને બાળકો સમાયરા અને દીકરા કિયાનની કસ્ટડી મળી ગઈ અને હવે બંને માતા સાથે રહે છે. જો કે ક્યારેક પિતા સંજય કપૂરને મળવા પણ જાય છે. છૂટાછેડા બાદ સંજય કપૂરે બાળકોના નામ પર 10 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ કર્યું. આ સાથે જ કરિશ્મા કપૂરને એક ડુપ્લેક્સ પણ આપ્યું. બાળકોના ભણતર અને બાકીનો ખર્ચ પણ સંજય કપૂર જ ઉઠાવી રહ્યા છે.

જો કે આ તમામ છતા કરિશ્મા કપૂરના પાપા રણધીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં સંજય કપૂરને ખૂબ જ ખરી-ખોટી સંભળાવી હતી. રણધીર કપૂરે સંજય કપૂરને આડે હાથ લેતા કહ્યું કે તે એક થર્ડ ક્લાસ વ્યક્તિ છે અને ઐય્યાશીમાં ડૂબેલો છે.

તો કરીનાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન બહેન કરિશ્માના લગ્ન અને છૂટાછેડા પર બોલતા કહ્યું હતું કે, તેમના છૂટાછેડા થયા છે પરંતુ તેનો મતલબ એવો નથી કે દુનિયાને તેમના વિશે બધી ખબર પડે. તે માત્ર પતિ-પત્ની વચ્ચેનો મામલો છે. તે તેના પર કમેન્ટ નથી કરવા માંગતો.એક ઈન્ટરવ્યૂમાં કરિશ્મા કપૂરે પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે લગ્ન બાદ તેમનું જીવન ખૂબ જ દર્દનાક થઈ ગયું હતું. તેને સાસરિયાઓએ ખૂબ જ હેરાન કરી અને આખરે તે સંજય કપૂરથી અલગ થઈ ગઈ.

આઈબી ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કરિશ્માએ પોતાની જિંદગીના એ રહસ્યનો ખુલાસો કર્યો, જેને સાંભળીને સૌ કોઈ હેરાન હતા. કરિશ્માએ જણાવ્યું કે જ્યારે તેઓ હનીમૂન પર હતા ત્યારે, સંજયે તેને પોતાના મિત્રો સાથે એક રાત વિતાવવા માટે મજબૂર કરી દીધી હતી. જ્યારે તે તેના માટે તૈયાર ન થઈ તો સંજયે તેની સાથે મારપીટ શરૂ કરી દીધી.

કરિશ્માના પ્રમાણે, સાસરિયામાં તેની સાથે સાસુ સારો વ્યવહાર નહોતી કરતી. તે વાતવાતમાં કરિશ્મા પર હાથ ઉઠાવતા હતા. એટલું જ નહીં સંજયે પોતાના ભાઈને પત્ની કરિશ્મા પર નજર રાખવાનું કહ્યું હતું. કરિશ્માએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે સંજય નાની-નાની વાતમાં હાઈપર થઈ જતા હતા અને મારપીટ કરતા હતા. છેલ્લે તેમણે 2012માં પોતાના લગ્ન ખતમ કરવાનો નિર્ણય લઈ લીધો અને પોતાના બંને બાળકો સાથે મા બબિતા સાથે મુંબઈ રહેવા આવી ગઈ.

લાંબા સમય સુધી એક્ટિંગની દુનિયાથી રહેલી કરિશ્માએ વર્ષ 2012માં ‘ડેન્જરસ ઈશ્ક’ના માધ્યમથી કમબેક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લૉપ રહી. હાલ તે, મૉડેલિંગ પ્રોજેક્ટ્સમાં બિઝી છે.

ઉલ્લેખનીય છે કે 90ના દાયકામાં કરિશ્માએ પોતાના કરિયરની શરૂઆત ‘પ્રેમ કૈદી’થી કરી હતી, જે એ સમયે બૉક્સ ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જે બાદ કરિશમાએ ‘જીત’, ‘જાનવર’, ‘હીરો નંબર 1’, ‘જુડવાં’, ‘દિલ તો પાગલ હૈ’, ‘બીબી નંબર 1’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘કુલી નંબર 1’, ‘રાજા બાબૂ’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.

You cannot copy content of this page