જોધપુરઃ એક નવદંપતિનું નવું જીવન શરૂ થતાંની સાથે જ ખત્મ થઈ ગયુ હતુ. શનિવારે (14 માર્ચ) સવારે જોધપુર જીલ્લાનાં શેરગઢમાં થયેલી એક દુર્ઘટનામાં વર-વધૂની સાથે 11 લોકોનાં મોત થયા હતાં. આ બધા જ લોકો એક પરિવારનાં હતા. ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતાં. આ લોકો સવારે બાલોતરાથી રામદેવરા મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. તે જ સમયે એક ટ્રેલરે તેમની બોલેરોને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે, બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કોઈને પણ બોલેરોમાંથી બહાર નીકળવાની તક જ મળી ન હતી.
દુર્ઘટના બાદ દુર-દુર સુધી ચીસો સંભળાઈ હતી. ત્યાંથી પસાર થઈ રહેલાં અને આસપાસ હાજર લોકોએ બોલેરોમાં ફસાયેલાં ઘાયલોને બહાર કાઢવાનાં પ્રયાસો કર્યા હતા. પરંતુ નાકામ રહ્યા હતા. બાદમાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ક્રેનની મદદથી બંને ગાડીઓને અલગ કરી હતી અને ત્યારબાદ ઘાયલોને બહાર કાઢ્યા હતા. જોકે, 11 લોકોનાં તો ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનાને પોતાની નજરે જોનારા લોકોનું કહેવું છે કે, અકસ્માત એટલો ભીષણ હતો તે બોમ્બ બ્લાસ્ટ જેવો અવાજ આવ્યો હતો.
શનિવારે સવારે થયેલી આ દર્દનાક ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતું અને ઘાયલોને જલ્દીથી સ્વસ્થ થવાની કામના કરી છે. તો રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને આ દર્દનાક ઘટનાને લઈ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
દુર્ઘટનામાં નવ દંપતીનું પણ મોત થયુ હતુ. બાલોતરાનની પાસે કાનોના ગામના વિક્રમનાં લગ્ન 27 ફેબ્રુઆરીએ સીતાની સાથે લગ્ન થયા હતા. તેઓ પરંપરાઓ મુજબ મંદિરે જઈ રહ્યા હતા. દુર્ઘટના શનિવારે સવારે લગભગ 9 વાગે મેગા હાઈવે પર સોઈંતરામાં ગંવારિયા હોટલની પાસે થયો હતો.
ઘટનાની જાણકારી મળવા પર શેરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ક્રેનની મદદથી ટ્રેલરની હટાવીને બોલેરોમાં ફસાયેલાં લોકોને બહાર કાઢ્યા હતા.
ટ્રેલરની ટક્કરથી બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેના પૈડા પણ નીકળીને દૂર સુધી જતા રહ્યા હતા. દુર્ઘટના બાદ કોઈને પણ બહાર નીકળવાની તક મળી ન હતી.
આ હૃદય કંપાવનારી ઘટનામાં 4 પુરૂષ અને 6 મહિલાઓ સિવાય એક બાળકનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતાં. તેમને જોધપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.