Only Gujarat

National TOP STORIES

ભાડુઆતે વાસના સંતોષવા મકાનમાલિકના માસૂમ દીકરાનું કર્યું અપહરણ ને પછી કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કામ

ઉજ્જૈનના નીલગંગા વિસ્તારમાં એક નશેડી ભાડુઆતે પોતાના મકાન માલિકના 8 વર્ષના દીકરાને ગુમ કર્યો. તેની સાથે રેપ કર્યા બાત તેનું મોઢું દબાવ્યું અને પાણી ગરમ કરવાના રૉડથી કરંટ લગાવીને તેની હત્યા કરી નાખી. મૃતદેહને છુપાવી દીધો. પરિવારજન અને પોલીસની સાથે 3 કલાક સુધી આરોપી બાળકની શોધખોળમાં પણ લાગ્યો. સવાર થતા જ ઘરથી ફરાર થઈ ગયો અને વૃક્ષ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.

ન્યૂ ઈન્દિરાનગરમાં રહેતા દિવ્યાંગ મુકેશ પ્રજાપતિનો દીકરો કાન્હા ઉર્ફ કૃષ્ણા સોમવાર સાંજે લગભગ 6 વાગ્યે ઘરના આંગણામાં બાળકો સાથે ગરબા રમી રહ્યો હતો. ભાડૂઆત સુનીલે (25) તેને બહાનાથી રૂમમાં બોલાવ્યો અને નશાની સ્થિતિમાં દુષ્કર્મ કરીને તેને મારી નાખ્યો.

આખી રાત એડિશનલ એસપી અમરેન્દ્ર સિંહ ચૌહાણ અને પરિવારજનો બાળકની શોધમાં જોડાયા. મંગળવારે સવારે ભાડૂઆતના રૂમમાંથી બાળકનું શબ મળતા આઈજી રાકેશ ગુપ્તા, ડીઆઈજી મનીષ કપૂરિયા, એસપી સત્યેન્દ્ર કુમાર શુક્લા ઘટના સ્થળે પહોંચ્યા. આઈજીએ ખુદ આરોપીના રૂમની તલાશી લીધી. પાણી ગરમ કરવાનો રૉડ જપ્ત કરી. એફએસએલ અધિકારી ડૉક્ટર પ્રીતિ ગાયકવાડે ઘટના સ્થળથી આરોપીના કપડા જપ્ત કર્યા. ડીએનએનું સેમ્પલ પણ લેવામાં આવ્યું.

ઘટનાસ્થળ પર એડિશનલ એસપી રૂપેશ દ્વિવેદીએ મકાન માલિક મુકેશ અને પત્ની કંચન સહિત રહેતા અન્ય ભાડૂઆતોની જાણકારી લીધી. આરોપી સુનીલને લઈને પાડોશમાં રહેવા વાળી મહિલાએ જણાવ્યું કે રાત્રે આઠ વાગ્યે ઘરે આવ્યા બાદ મને કાન્હાના લાપતા થવાની ખબર પડી અને શોધખોળમાં જતા રહ્યા. અમારી સાથે સુનીલ પણ હતો. રાત્રે તે રૂમમાં જઈને સુઈ ગયો, એટલે કોઈને શક ન થાય. તેના રૂમમાંથી કોઈ અવાજ પણ ન આવ્યો. 3 દિવસથી તે કામ પર નહોતો જઈ રહ્યો. મકાન માલિકના ચાર બાળકો છે, જેમાં બે છોકરીઓ છે. બીજા ધોરણમાં ભણતો કાન્હા સૌથી મોટો હતો.

આરોપી સુનીલ મિસ્ત્રીનું કામ કરતો હતો. નશાની આદતના કારણે ઘરના લોકોએ તેને કાઢી મુક્યો હતો. બે વર્ષ પહેલા ન્યૂ ઈન્દિરાનગરમાં રહેતા દિવ્યાંગ મુકેશ પ્રજાપતિને ત્યાં ભાડે રહેવા આવ્યો હતો. તેણે મુકેશના પરિવાર સાથે મેળાપ વધાર્યો હતો. તે કરિયાણાની દુકાન પર બેસતો હતો.

ઘરે તે ટીવી જોવાના બહાને આવતો જતો હતો. આ કારણે તે કાન્હા સાથે હળીમળી ગયો હતો. બાળક તેના રૂમ પર પણ રમવા જતો હતો. હત્યા બાદ ફરાફ સુનીલે મંગળવારે ભૈરવગઢ વિસ્તારમાં જઈને શરાબ પીધો. તેનું લોકેશન ટ્રેસ કરતા સાયબર સેલની ટીમ ત્યાં પહોંચી.

અહીં કેટલાક મજૂરોને તેનો ફોટો બતાવીને કહ્યું કે, તે હમણાં જ શરાબ પીને ગયો છે. મોબાઈલ લોકેશનની મદદથી પોલીસ બપોરે અંબોદિયા વિસ્તારમાં પહોંચી, જ્યાં જંગલમાં વૃક્ષ પર તેનો મૃતદેહ મળ્યો. એડિશનલ એસપી અમરેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું કે ડૉક્ટરે તેની સાથે રેપની પુષ્ટિ કરી છે. એવું લાગી રહ્યું છે કે આરોપીએ ઘટના બાદ ગ્લાનિના કારણે આત્મહત્યા કરી લીધી.

You cannot copy content of this page