શહીદ પતિને તિરંગામાં લપેટાયેલો જોઈને દુખી થઈ ગઈ પત્ની અને ન રોકી શકી પોતાના આસું
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા વિસ્તારમાં સરહદની સુરક્ષા કરતી વખતે દેશ માટે બલિદાન આપનારા ઉત્તરાખંડના પુત્ર શહીદ ગોકર્ણ સિંહનાં સોમવારે સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે શહીદ ગોકર્ણ સિંહનો પાર્થિવ દેહ તેના ગામમાં પહોંચ્યો ત્યારે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગોકર્ણની પત્ની અને બાળકો વિલાપ કરવા લાગ્યા હતા.
પાર્થિવ દેહ મોડી સાંજે તેના પૈતૃક ઘરે લાવવામાં આવ્યો હતો, જેના કારણે રવિવારે સાંજે તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા ન હતા. શહીદના પાર્થિવ દેહને પૈતૃક નિવાસમાં રાખવામાં આવ્યો હતો. લોકોએ આખી રાત ગમગીન વાતાવરણમાં જાગીને વીતાવી હતી.
શહીદ ગોકર્ણ સિંહના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન સોમવારે સવારે કરાયા હતા. પતિનો ચહેરો જોઇને ગીતા રોઈ પડી હતી. બોલી હતી, મને ગર્વ છે કે તમે દેશની સેવા કરવા માટે પોતાનાં જીવનું બલિદાન આપ્યું છે. તમારી યાદ મારા હૃદયમાં હંમેશા અમર રહેશે. આ સમય દરમિયાન ત્યાં હાજર તમામ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
ગગનભેદી નારાની વચ્ચે ગમગીન માહોલમાં તેમના પુત્ર મનીષ અને કાકા પ્રેમ સિંહ ચુફાલે શહીદની ચિતાને મુખાગ્નિ આપી હતી. સેના વતી કમાન્ડિંગ ઓફિસર વિમલ કુમારે શહીદના કાકા સુબેદાર મેજર દિવાનસિંહ ચૂફાલને ત્રિરંગો ધ્વજ અને સૈન્ય ગણવેશ આપ્યો હતો.
જણાવી દઈએ કે, શહીદ હવાલદાર ગોકર્ણસિંહ ચૂફાલ આ વર્ષે ડિસેમ્બરમાં નિવૃત્ત થવાના હતા. આ માટે તે ફેબ્રુઆરીમાં પત્ની સાથે સંયુક્ત ખાતું ખોલવા માટે ઘરે આવ્યા હતા. તેમણે નાચની બેંકમાં ખાતું પણ ખોલાવ્યુ હતુ.
પાર્થિવ દેહ ગામમાં પહોંચતાં જ આખું ગામ હિબકે ચઢ્યું, શહીદ જવાનની એક ઝલક જોવા લોકો અંતિમ સંસ્કારમાં ઉમટી પડ્યાં