ડોડાઃ પિતાને છેલ્લી વિદાઈ આપતી વખતે બેશક 10 વર્ષનાં બાળકની આંખોમાંથી આંસુ બંધ નહોતા થઈ રહ્યા, પરંતુ તેનો જુસ્સો જોવા લાયક હતો. આ સ્ટોરી જમ્મૂ-કાશ્મીરના ડોડામાં શહીદ થયેલાં લાન્સ નાયક રાજસિંહ ખટાનાની છે. સોમવારે (18 મે) જ્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. તો તેના પિતાને સેલ્યૂટ કરતી વખતે માસૂમ બોલ્યો કે હવે તે પણ સેનામાં દાખલ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે 17 મે, રવિવારે આંતકવાદીઓ સાથેની અથડામણમાં ગુડગાંવના દમદમા ગામનાં રહેવાસી રાજસિંહ શહીદ થયા હતા. સોમવાર, 18મેની બપોરે રાજકીય સૈન્ય સન્માનની સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન ત્યાં હાજર લોકોએ નારા લગાવ્યા હતા. ‘જ્યાં સુધી સૂરજ-ચાંદ રહેશે, રાજ સિંહ તમારું નામ રહેશે અને ભાઈ રાજસિંહ અમર રહે’.
શહીદના પાર્થિવ શરીરની સાથે આવેલાં 10 રાષ્ટ્રીય રાઈફલ્સનાં સૂબેદાર દયારામે જણાવ્યુ હતુકે, 16 મેએ આંતકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ 17 મેની સવારે જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સૈન્યએ સંયુક્ત અભિયાન ચલાવ્યુ હતુ. આતંકવાદીઓનાં હુમલામાં રાજસિંહ ઘાયલ થયા હતા. તેમ છતાં તેમણે એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
રાજ સિંહ ચાર બહેનો અને ત્રણ ભાઈઓમાં બીજા નંબરના હતા. તેમણે ખેડલા ગામની શાળામાંથી 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ સપ્ટેમ્બર 2011માં સેનામાં જોડાયા હતા. તેમના પિતા હવાલદાર ગજરાજ સિંહ પણ સેનામાં હતા. 6 વર્ષ પહેલા તેમનું નિધન થયું હતું.
શહીદને ત્રણ બાળકો રિષભ (10), ઇશીકા (6) અને અનુરાગ (4) છે. રિષભે મુખાગ્નિ આપ્યો હતો. શહીદની પત્ની રવિતાએ કહ્યું કે તેમને ગર્વ છે કે તેમના પતિ દેશ માટે કામ આવ્યા છે.
રાજ સિંહ રમતગમતના ક્વોટાથી સૈન્યમાં દાખલ થયા હતા. તેઓ હંમેશા તેમના પિતાની જેમ સેનામાં જવાની વાત કરતા હતા. સોમવારે જ્યારે તેમનો પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યો, તો તેમની માતાની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી.