નવી દિલ્હીઃ દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોને આ વાઈરસનો ચેપ લાગ્યો છે. ચીનના વુહાનથી આવેલાં આ વાઈરસે 24 માર્ચથી ભારતને લોકડાઉન હેઠળ રાખ્યું છે. આ વાઈરસને કારણે લોકો તેમના ઘરોમાં બંધ છે. દુકાનો બંધ છે અને અર્થવ્યવસ્થાનું પતન થઈ રહ્યુ છે. દરમિયાન, વિદેશથી આવેલા એક કીડાએ ભારતમાં પાકને બગાડવાનું શરૂ કર્યું છે. અત્યારે આ કીડાના કારણે નાગાલેન્ડમાં વિનાશ સર્જાયો છે. આ કીડાને કારણે ખેડૂતોનું લાખોનું નુકસાન થયું છે. આ કીટકે આસામમાં પણ પગપેસારો કર્યો છે. ધીરે ધીરે જો આ કીડા ભારતના અન્ય રાજ્યોમાં પહોંચશે તો આ વર્ષે ઉત્પન્ન થયેલો પાક બરબાદ થઈ જશે.
કોવિડ 19ની વચ્ચે આસામ અને નાગાલેન્ડમાં આ કીડાએ વિનાશ સર્જ્યો છે. તે આર્મીવર્મ તરીકે ઓળખાય છે. એન્ટોમોલોજિસ્ટ અનુસાર, આ 80 પ્રકારના છોડોનો નાશ કરી શકે છે.
નાગાલેન્ડનાં મોકોકચુંગમાં આ વિદેશી જંતુએ લાખોનો પાક બરબાદ કરી દીધો છે. અહીં 7 ગામોમાં ખેડુતોનો પાક કીડાઓએ ખાઈ લીધો હતો. જેના કારણે ખેડુતોને મોટું નુકસાન થયું છે.
જ્યારે કૃષિ મંત્રાલયે ખેતરોનું નિરીક્ષણ કર્યું, ત્યારે જાણવા મળ્યું કે આ જંતુઓ લાર્વાના તબક્કામાં જ વિનાશ વેરી રહ્યા છે. ખાસ કરીને મકાઈના પાકનો આ કીડાઓએ નાશ કર્યો છે.
આ કીડાઓ 80 થી 90 ટકા છોડ ખાઈ રહ્યા છે. હમણાં નાગાલેન્ડમાં આ કીડાઓએ 7 ગામોને પોતાની ઝપેટમાં લીધા છે. જો તેને નિયંત્રિત ના કરવામાં આવે તો તે ઝડપથી અન્ય ગામોમાં પહોંચી જશે.
તો કીડાનો ભય આસામમાં પણ જોવા મળ્યો છે. ખેડૂતોએ પેસ્ટ કંટ્રોલ કરીને આ કીડાને અંકુશમાં રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ હજી સુધીમાં, કીડાનો નાશ થાય તેવી કોઈ આશા નથી.
જોકે, લોકડાઉનથી આસામના ખેડૂતોને ફાયદો થયો. લોકડાઉનના કારણે ખેડૂતોએ પાકની લણણી કરી લીધી હતી. તેને કારણે જે પાકની લણણી બાકી હતી, તેને જ કીડા ખાઈ શક્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જંતુઓ ઝડપથી વિકસી રહ્યા છે, તેનું કારણ ભારતનું હવામાન છે. લાર્વા ગરમ હવામાનમાં વિનાશ સર્જે છે. જો સમયસર વરસાદ નહીં પડે તો વિનાશનાં આંકડા વધી શકે છે.
ઉપરાંત, કોરોનાને કારણે મજૂરો તેમના ઘરે પાછા ફર્યા છે. આને કારણે મોટા પાકની લણણી ખેડૂતોને મજૂરો મળી રહ્યા નથી. આવી સ્થિતિમાં, ખેતરનો ઉભા પાક જંતુઓ ખાઈ રહ્યા છે.
આર્મીવર્મ મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સના ટ્રોપિકલ અને સબટ્રોપિકલ પ્રદેશોમાં જોવા મળે છે. આ કીડાઓ ગરમ વિસ્તારોમાં ઝડપથી ફેલાય છે. આ કીડાઓ વિદેશથી લાવવામાં આવેલી ખાદ્ય ચીજો સાથે ભારત પહોંચ્યા હતા અને હવે અહીં વિનાશ સર્જી રહ્યા છે.