સાજા થયા બાદ પણ મૂળમાંથી ખતમ નથી થતો કોરોના, બોડીના આ ભાગમાં છૂપાયેલો હોય છે કોરોના?
કોરોના વાયરસના ચેપની જાણ થવામાં આમ તો 10 થી 12 દિવસનો સમય લાગે છે. એવામાં,સાજા થયેલા દર્દીઓમાં ફરીથી વાયરસ મળવો ચિંતાનો વિષય બની શકે છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં દાવો કર્યો છે કે કોરોનામાંથી સાજા થયા બાદ પણ તે વાયરસ મૂળમાંથી સમાપ્ત થતો નથી. તે વ્યક્તિના શરીરમાં છુપાયેલો રહી શકે છે. વાયરસ ફેફસાંની નજીક રહેવાની વધારે શક્યતા છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કોરોના શરીરમાં પ્રવેશ્યા પછી શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી કરે છે. તે પહેલો હુમલો ગળાની આસપાસની કોશિકાઓ ઉપર કરે છે. ત્યારબાદ વિન્ડપાઇપ અને ફેફસાં પર હુમલો કરે છે.
કિંગ્સ કોલેજ લંડનના ડોક્ટર નતાલી મેક્ડરમોટ કહે છે, “વાયરસ રોગપ્રતિકારક શક્તિનું સંતુલન બગાડે છે અને સોજો દેખાવા લાગે છે. ફેફ્સાનાં આ સોજાને ન્યૂમોનિયા કહે છે. દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોમાં સેંકડો સંક્રમિત દર્દીઓ ઈલાજ બાદ સાજા થઈને ઘરે ગયા હતા અને 70 દિવસ બાદ ફરી કોરોના પોઝીટીવ આવ્યા હતા.
એ જ રીતે, મકાઉ, તાઇવાન, વિયેતનામ અને અન્ય દેશો પણ સામે આવ્યા હતા. ચાઇનામાં એવા પણ ઘણા કિસ્સા બન્યા છે કે જેમાં ચેપગ્રસ્ત દર્દીઓ સારવાર પછી હોસ્પિટલથી ઘરે ગયા હતા,પરંતુ તે લોકોમાં ફરીથી કોરોનાનાં લક્ષણો દેખાયા હતા.
નિષ્ણાંતોનું માનવું છે કે બિમારી ઠીક થયા બાદ, લગભગ 70 દિવસ સુધી શરીરમાં કોરોના વાયરસ જીવતો રહે છે. આ કારણોસર, વ્યક્તિ ફરીથી તેની પકડમાં આવે છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં તેની પુષ્ટિ થઈ છે. તેમાં રિકવર થઈ ગયેલાં દર્દીઓનાં ફેંફ્સામાં વાયરસ લાંબા સમય સુધી છુપાયેલો મળ્યો હતો.