Only Gujarat

FEATURED National

કોરોનાના કહેરને કારણે ભારતનાં આ ટોપ બિઝનેસમેનોએ સેલેરી વગર કરવું પડશે કામ

કોરોનાને કારણે દેશનું અર્થતંત્ર દાયકાઓ પાછળ ગયું છે. જીડીપી ગ્રોથ નામમાત્રનો છે અને મોટી કંપનીઓ ખર્ચ ઘટાડવાના માર્ગો શોધી રહી છે. ગઈકાલે એક સમાચાર મળ્યાં હતાં કે સ્પાઇસજેટ એક કલાકના ધોરણે પગાર આપશે, જ્યારે રિલાયન્સે પણ 35% પગાર ઘટાડવાની જાહેરાત કરી હતી. આ સાથે જ એક અન્ય સમાચારોમાં હેડલાઇન્સ મુકવામાં આવી હતી કે મુકેશ અંબાણી હવે પગાર નહીં લે. રિલાયન્સના વડા, જે 15 કરોડ વાર્ષિક પેકેજ પર કામ કરે છે, હવે સ્થિતિ સુધરે ત્યાં સુધી 0 પૈસાના પગાર પર કામ કરશે.

મુકેશ કોરોનાને કારણે આવા પહેલા ઉદ્યોગપતિ નથી, દેશના ઘણા ઉદ્યોગપતિઓએ નક્કી કર્યું છે કે તેઓ માત્ર પગાર નહીં લે. તેમની કંપનીઓને ફરી પાટે ચડાવવા અને કોરોનાથી પ્રકોપમાંથી ઉગારવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. ચાલો જાણીએ કે આ સૂચિમાં બીજું કોણ શામેલ છે.

ઉદય કોટક- દેશની સૌથી મોટી ખાનગી બેંક કોટક મહિન્દ્રા બેંકે કોરોનાને કારણે તેના કર્મચારીઓના પગારમાં 15% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે, બેંકના સીઈઓ ઉદય કોટકે આખા વર્ષ માટે માત્ર એક રૂપિયાના પગાર પર કામ કરવાનું નક્કી કર્યું છે. જણાવી દઈએ કે ઉદય કોટકે મુકેશ પહેલા આ નિર્ણય લીધો હતો.

આનંદ મહિન્દ્રા: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રાએ કંપનીને નુકસાનથી બચાવવા માટે પોતાનો સંપૂર્ણ પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો છે. અને મહિન્દ્રા હાલમાં કોરોના માટે વાહનો નહીં પણ વેન્ટિલેટર બનાવી રહી છે.

વિજય શેખર વર્મા – પેટીએમના સ્થાપક વિજય શર્માએ કર્મચારીઓના પગારમાં 20% ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે અને પોતે 2 મહિના સુધી કોઈ પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો છે.

રિતેશ અગ્રવાલ – ઓયો રૂમ્સના ફાઉન્ડર અને સીઈઓ રિતેશ અગ્રવાલે આખા વર્ષ માટે કોઈ પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો છે જેથી કંપનીને સંકટમાં ફરી ઉભી કરી શકાય.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page