મુંબઈઃ કોરોનાની ઝપેટમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પણ બોલિવૂડ સ્ટાર્સ આવી ગયા છે. થોડાં દિવસ પહેલાં બચ્ચન પરિવારને પણ કોરોના થયો હતો. આ પછી હોસ્પિટલમાં સારવાર લઈ તેમણે કોરોનાને હરાવ્યો હતો. જેના થોડાં દિવસ પછી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર પણ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. આ પછી બંને હોમ આઇસોલેટ થયાં હતાં. મહત્ત્વનું છે કે, મલાઇકા અરોરાએ કોરોનાને હરાવ્યો છે અને તે અત્યારે ક્વોરન્ટીન છે.
મલાઇકા અરોરા કોરોના પોઝિટિવ થયાં પછી હોમ ક્વોરન્ટીનમાં હતી. તેને કોરોનાના સામાન્ય લક્ષણ હતાં, આ વાત મલાઇકાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા જણાવી હતી.
જોકે હાલમાં જ મલાઇકા પોતાના રૂમમાંથી ઘણાં દિવસથી બહાર નીકળી છે. હવે તે કોરોનામુક્ત થઈ ગઈ છે. જોકે, કોરોનાને હરાવ્યા પછી તે ખૂબ જ અશક્ત લાગી રહી છે. તેમના ચહેરાની ચમક જતી રહી છે અને આંખો પણ સૂજી ગઈ છે.
મલાઇકાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે મોઢા પર માસ્ક અને હાથમાં કોફીના મગ સાથએ જોવા મળી રહી છે. ફોટો શેર કરી તેમણે કેપ્શનમાં લખ્યું કે, ‘બહાર અને તેના વિશે. હું અંતે મારા રૂમની બહાર ઘણાં દિવસ પછી નીકળી છું. આ એક સેર જેવું લાગે છે.’
મલાઇકાએ વધુમાં લખ્યું કે, ‘હું ખૂબ જ ધન્ય અનુભવી રહી છું કે, હું આ વાઇરસમાંથી ઓછું દર્દ અને મુશ્કેલીમાંથી બહાર આવી ગઈ છું. હું મારા ડોક્ટર્સ અને મેડિકલ ગાઇડન્સ માટે, આ પ્રક્રિયાને મુશ્કેલી મુક્ત બનાવવા માટે BMCને, પરિવારને, પરિવારને તેમના સમર્થન માટે અને મારા દરેક મિત્રો, પાડોશી અને પ્રસંશકોની તેમને શુભકામનાઓ માટે અને મને તમારા જે મેસેજ અને સપોર્ટથી જે તાકાત મળી તેનો આભાર માનું છું.’
મલાઇકાએ કહ્યું, ‘તમે લોકોએ આ મુશ્કેલ સમયમાં મારા માટે જે કંઈપણ કર્યું છે. હું તમને દરેકને તે રીતે ધન્યવાદ આપી શકતી નથી. તમે બધા સુરક્ષીત રહો અને ધ્યાન રાખો.’
તમને જણાવી દઈએ કે મલાઇકા જ્યારે કોરોના પોઝિટિવ હતી ત્યારે તેમના દીકરા અને ડૉગીને મળી શકતી નહોતી જેને લીધે તે ખૂબ જ ઉદાસ છે. તે ઉદાસી તેમણે પોતાની પોસ્ટ દ્વારા શેર કરી હતી. મલાઇકાએ લખ્યું હતું કે, ‘સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરતાં હું આમનાથી દૂર છું. અમે એકબીજાને જોવાની રીત શોધી લીધી છે.’
આ પહેલાં પણ મલાઇકાએ પોસ્ટ શેર કરી જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ હતી. તેમણે તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે, ‘કોઈ વેક્સિન બનાવી દો ભાઈ, નહીં તો જવાની જતી રહેશે.’
ઉલ્લેખનીય છે કે, મલાઇકા પહેલાં તેમના બોયફ્રેન્ડ અર્જુન કપૂર કોરોના પોઝિટિવ થયાના સમાચાર સામે આવ્યાં હતાં. અર્જુને ખૂદ સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને કોરોના સંક્રમિત થયાની જાણકારી આપી હતી.