Only Gujarat

FEATURED National

10 વર્ષ પહેલા પ્રાચીન મંદિરમાંથી ચોરાઈ કરોડો રૂપિયાની અષ્ટધાતુની મૂર્તિ આખરે થઈ જપ્ત

મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં પોલીસે પ્રાચીન મંદિરમાંથી ચોરાયેલી અષ્ટધાતુની એક ખુબ જ કિંમતી મૂર્તિ જપ્ત કરી છે. સાથે જ પોલીસે મૂર્તિ ચોરી કરનારા ચોરની પણ ધરપકડ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણની આ મૂર્તિ બહોરીબંધ થાના ક્ષેત્રના ગામ રાજા સલૈયાના મંદિરમાંથી અંદાજે દશ વર્ષ પહેલા ચોરી થઇ હતી. અષ્ટધાતુથી નિર્મિત આ પ્રતિમાની કિંમત ઇન્ટરનેશનલ બજારમાં કરોડોમાં હોવાનું કહેવામાં આવે છે.

આ મામલો રાજા સલૈયા ગામનો છે. અહીં સ્થિત પ્રાચીન રાધા કૃષ્ણ મંદિરમાંથી વર્ષ 2010માં અષ્ટધાતુથી નિર્મિત શ્રીકૃષ્ણની કિંમતી મૂર્તિ ચોરી થઇ ગઇ હતી. જેના પર પોલીસે ફરિયાદ પણ દાખલ કરાવી હતી અને તપાસ શરૂ કરી હતી. પરંતુ પોલીસને ચોરાયેલી મૂર્તિના કોઇ પૂરાવા ન મળતા મામલો શાંત પડી ગયો હતો.

પોલીસને બે દિવસ પહેલા બાતમીદારની મદદથી સૂચના મળી કે મંદિરમાંથી ચોરી થયેલી પ્રતિમા દમોહ જિલ્લાના તેજગઢમાં ચિરઇગામના વિક્રમ સિંહ પાસે છે. ત્યારબાદ પોલીસે ફરીથી તપાસ શરૂ કરી. પોલીસ ટીમે દરોડા પાડી ઘરમાંથી બેશકિંમતી મૂર્તિને જપ્ત કરી લીધી અને આરોપી વિક્રમની ધરપકડ કરવામાં સફળતા મેળવી.

બહોરીબંધ થાનાના પ્રભારી રેખા પ્રજાપતિનું કહેવું છે કે વર્ષ 2010માં રાજા સલૈયા ગામના પ્રાચીન મંદિરમાંથી અષ્ટધાતુની મૂર્તિ ચોરી થઇ હઇ હતી જેને લઇે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પ્રભારી રેખા પ્રજાપતિએ વધુમાં જણાવ્યું કે બાતમીના આધારે અમારી ટીમે આરોપી વિક્રમના ઘરે દરોડા પાડી મૂર્તિ જપ્ત કરી છે. રાજા સલૈયા ગામનું આ મંદિર અંદાજે 200 વર્ષ જુનુ છે જેમાં આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.

આ 17-18મી સદીની આસપાસની મૂર્તિ છે. જેની અંદાજીત ઇન્ટરનેશનલ બજારમાં એન્ટીક વેલ્યૂ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિની કિંમત અંદાજે એક કરોડ રૂપિયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page