Only Gujarat

National

એકનો એક દીકરો શહીદ થતાં ભાંગી પડ્યો પરિવાર, જોનારાની આંખો પણ થઈ નમ

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનથી થયેલા ફાયરિંગમાં શહીદ થયેલા હિમાલચ પ્રદેશના વીર સપૂત રોહન કુમારના શનિવાર સાંજે તેમના પૈત્તૃક ગામ ગલોડમાં સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. જે પિતા ચાર મહિના બાદ દીકરાને વરરાજો બનાવીને જાન લઇને જવાના સપના જોતા હતા. તે લાચાર પિતાએ પુત્રની અર્થીને કાંધ આપવી પડી.

સ્મશાન ઘાટ સુધી વિલાપ કરતા ગયા પરિજનો
શહીદ રોહિન કુમારના પાર્થિવ શરીરને તેમના પિતરાઇ ભાઇ મોહિત કુમારે મુખાગ્નિ આપી હતી. કેપ્ટન રૂપેશ રાઠૌરના નેતૃત્વમાં સેનાની ટૂકડીએ સૈન્ય પરંપરા મુજબ શહીદને સલામી આપીને અંતિમ વિદાય આપી. મોટી સંખ્યામાં ભારે હૈયે ગામના લોકો શહીદની અંતિમ યાત્રામાં જોડાયા હતા. જે રસ્તા પરથી શહીદની અંતિમ યાત્રા નીકળી લોકો તેમાં જોડાતા ગયા.

માતા પિતાનો એકનો એક પુત્ર હતો રોહન
શહીદ જવાન રોહન કુમાર તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. તેમની એક બહેન છે. જેમના લગ્ન થઇ ગયા છે. આ સિવાય પરિવારમાં માતા-પિતા અને દાદી પણ છે. જે રોહનની વિદાયથી ઊંડા આઘાતમાં સરી પડી છે. દાદીએ રોહનને યાદ કરતા જણાવ્યું કે, “રોજ મારી તેમની સાથે ફોન પર વાત થતી હતી. તેમના લગ્નના કેટલા સપના જોયા હતા. મારી બધી ખુશીઓ માતમમાં ફેરવાઇ ગઇ.”

લગ્નની થઇ ગઇ હતી તમામ તૈયારીઓ
શહીદ રોહના પિતા રશીલે જણાવ્યું કે, ” ફ્રેબ્રુઆરીમાં રજા લઇને રોહન ઘરે આવ્યો હતો. આ રજાના સમયમાં જ તેમની સગાઇ કરી દીધી હતી. નવેમ્બરમાં તેમના લગ્ન થવાના હતા. તેમના લગ્નની તમામ તૈયારીઓ અમે કરી લીધી હતી. જો કે આ દુ:ખદાયક સમાચારના કારણે પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે.

પિતા ઘર ચલાવવા માટે કરે છે કંદોઈનું કામ
રોહન 20216માં ભારતીય સેના રેજિમેન્ટમાં ભરતી થયો હતો. હાલ તે જમ્મુ કાશ્મીરના પૂછ સેક્ટરમાં તૈનાત હતો. રોહનના પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ છે. ઘરનો ખર્ચ ચલાવવા માટે રોહનના પિતા પંજાબના અમૃતસરમાં કંદોઇનું કામ કરે છે.

રોહિનનું સેનામાં જવાનું હતુ સપનુ
શહીદ રોહનના કાકા અનિલ વર્માએ જણાવ્યું કે, “તે બાળપણથી સેનામાં ભરતી થવાના સપના જોતો હતો. જો કે તે આજે અમારી વચ્ચે નથી પરંતુ અમારા દીકરાની શહાદત પર અમને ગર્વ છે. ગામના લોકો પણ રોહનની બહાદૂરીના કિસ્સા જાણે છે”

શુક્રવારે રાત્રે રોહન વીરગતિને પામ્યા બાદ શનિવારે બપોરે રોહનનો પાર્થિવ દેહ હેલિકોપ્ટર દ્વારા જમ્મુ કાશ્મીરથી હમીરપુર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હમીરપુરના હેલીપેડથી તેમના પાર્થિવ દેહને તેમના પૈતૃક ગામ ગડોલ સૈનાના વાહન દ્વારા લાવવામાં આવ્યો હતો. આ સમયે સેનાની એક ટુકડી અને જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ અધિકારી પણ હાજર હતા.

You cannot copy content of this page