સુશાંતસિંહ રાજપૂત મોતના મામલામાં રૉના પૂર્વ અધિકારી એન.કે.સૂદે નવો આક્ષેપો કર્યો છે. તેમનું કહેવું છે કે સુશાંતની શંકાસ્પદ મોતની પાછળ બોલીવુડ-અન્ડરવર્લ્ડ નેક્સસની સાથે જોડાયેલાં અપરાધીઓનો હાથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ માટે સુશાંતના ઘરના કર્મચારીઓને પૈસા આપીને તેની હત્યા કરવા દબાણ કર્યું હોઈ શકે છે.
એક ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન સૂદે કહ્યું હતું કે, આ કિસ્સામાં જે વિવિધ ખાતાઓમાં પૈસા જમા કરાવવાની વાત કહેવામાં આવી રહી છે, તેનો ઉદ્દેશ તપાસની દિશા ફેરવવાનું જ હોઈ શકે છે, જેથી પોલીસનું ધ્યાન મુખ્ય આરોપી તરફ જાય નહીં.
બની શકે કે નોકરોને ખરીદવામાં આવ્યા હોય
ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં સૂદે કહ્યું, ‘મેં પહેલેથી જ કહ્યું હતું કે અન્ડરવર્લ્ડનો તેમાં હાથ છે અને જ્યારે અન્ડરવર્લ્ડ કામ કરે છે, ત્યારે તે સંપૂર્ણ રીતે કાર્ય કરે છે. તે ધ્યાન ડાયવર્ટ કરવાનો પુરો પ્રયત્ન કરે છે. હું કહી શકતો નથી કે નોકરો અથવા અન્ય કોઈ પણ આમાં સામેલ ન હોય. બની શકે કે નોકરોને ખરીદવામાં આવ્યા હોય, અથવા તેમની ઉપર સુશાંતને મારવા માટે દબાણ કરવામાં આવ્યું હોય, તેનું ગળું દબાવો, જે હોય તે, અમે તમને બચાવીશું.’
પોલીસનું ધ્યાન ભટકાવવા મની એંગલ લાવવામાં આવ્યું
તેમણે વધુમાં કહ્યું, ‘પરંતુ બીજી તરફ, હત્યારાઓએ સાથે મળીને પૈસા જમા કરાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી પોલીસનું ધ્યાન તેમની તરફ જાય અને તેમાંથી સાચા ગુનેગારને બચાવી શકાય. નહિંતર, જો કોઈ વ્યક્તિને તેમા સામેલ કરવો હતો તો, તો પછી ખાતામાં પૈસા નાંખવાની જરૂર શું હતી. સીધા રોકડ આપી શક્યા ન હોત.’
તેમના મતે, ‘મહારાષ્ટ્રની અંદર અથવા મુંબઈની અંદર ભયનું વાતાવરણ છે. કેટલાક લોકો આ ગેંગસ્ટરોથી ડરતા હોય છે, જેના કારણે તેઓ આગળ આવવા તૈયાર નથી, અથવા કેટલાક તેમના કમેન્ટ્સ આપી રહ્યા છે, અથવા આપી રહ્યા નથી.
CBI આ કેસની તપાસ કરી રહી છે
આ અગાઉ સુપ્રીમ કોર્ટે બુધવારે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે સુશાંત કેસની CBI તપાસ કરશે. હવે ટૂંક સમયમાં આ કેસમાં તપાસ એજન્સીની ટીમ મુંબઈ પહોંચી શકે છે. આ ટીમ હત્યાના એંગલથી વધુ તપાસ કરશે.
CBIએ આ કેસમાં ગુજરાત કેડરના IPS મનોજ શશીધરની આગેવાની હેઠળ SITની રચના કરી છે. ગુજરાત કેડરની મહિલા IPS અધિકારી ગગનદીપ ગંભીર પણ આ ટીમનો એક ભાગ છે, જે દિલ્હી CBIના મુખ્ય મથકમાં કાર્યરત છે.