Only Gujarat

FEATURED National

કોરોનાની આ તસવીર જોઈને તમે પણ રડી જશો! સામે પડેલા પતિના મૃતદેહને પત્ની ચૂમી પણ ના શકી!

કોરોના સામેના યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવનાર ઇન્દોર જુનીના ટીઆઇ દેવેન્દ્ર કુમાર રઘુવંશીના રવિવાર 19 એપ્રિલે રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. તેઓ ડ્યુટી દરમિયાન સંક્રમિત થઇ ગયા હતા. અરબિંદો હોસ્પિટલમાં શનિવાર-રવિવાર દરમિયાન તેઓને રાતે 11.30 વાગ્યે તેઓને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ હતી. રાતે 2.50 વાગ્યા સુધી ડોક્ટરોએ તેઓને બચાવવાના પ્રયાસ કરતા રહ્યાં પરંતુ 10 મિનિટ બાદ તેઓનું મૃત્યુ થઇ ગયું. અંતિમ સંસ્કાર દરમિયાન તેમની પત્ની નજીક જઇને દર્શન કરી શકી નહીં. માત્ર તસવીર સામે રાખી હૈયાફાટ રુદન કરતી રહી.

દેવેન્દ્ર કુમાર રઘુવંશીને કોરોના સંક્રમણ બાદ ફેફસામાં નિમોનિયા સંક્રમણ થઇ ગયું. સારવારના 19માં દિવસે તેઓનું મૃત્યુ થઇ ગયું. રવિવારે બપોરે 12.30 વાગ્યે ઇંદોરના રામબાગ મુક્તિધામમાં તે્ઓને રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

મુખ્યમંત્રી શિવરાજ સિંહે દેવેન્દ્ર કુમારના નિધન પર શોક વ્યક્ત કરી પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યું. પત્નીને સબ ઇન્સ્પેક્ટરની નોકરી આપવાની જાહેરાત કરી છે.

સાથે જ 15 ઓગસ્ટે દેવેન્દ્ર કુમાર રઘુવંશીના પરિવારજનોને કર્મવીર સમ્માન પણ મળશે. (એક કાર્યક્રમ દરમિયાન દેવેન્દ્ર રઘુવંશી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુરેશ પચૌરી સાથે)

જબલપુરની હોસ્પિટલમાં એક કોરોના પોઝિટિવ દર્દી ડોક્ટરો પર હુમલો કરી ભાગી ગયો હતો, જેને બાદમાં ઇંદોરમાંથી NSA અંતર્ગત પકડી લેવામાં આવ્યો હતો. આરોપી જબલપુર જેલમાં બંધ હતો. અહીંથી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો પરંતુ ત્યાંથી તે ભાગી ગયો હતો. જો કે આ સોમવાર સવારે નરસિંહપુર જિલ્લાની સરહદ પાસે બનેલી ચેકપોસ્ટ પર પકડાઇ ગયો. આ વ્યક્તિ પર 60 હજાર રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.

જબલપુરના ક્લેકટર ભરત યાદવ લોકોના ઘરે ઘરે જઇને લોકડાઉનનું પાલન કરવા અને કોરોના સંક્રમણથી બચવાના ઉપાય જણાવી રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page