ગુજરાત BJPના પૂર્વ ધારાસભ્યની પુત્રીએ ગળાફાંસો ખાઈને કરી આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
જામનગર: કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગુ લોકડાઉનના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે જ રાજ્યમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજી ભાઈ ચાવડાની 24 વર્ષની પુત્રી રિદ્ધિએ પોતાના ઘરે એકાંતમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજી ભાઈ ચાવડાની પુત્રી રિદ્ધિ ઉવ 24 એ ગઈ કાલે પોતાના ઘરે એકાંતમાં ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અભ્યાસમાં તેજસ્વી એવી એક માત્ર પુત્રીએ અભ્યાસની ચિંતાના કારણે આપઘાત કર્યાની ચર્ચા થઇ રહી છે.
યુવાન વયે પુત્રીના આપઘાતથી પૂર્વ ધારાસભ્ય ચાવડા સહિતનો પરિવાર હાલ ગમગીનીમાં સરી પડ્યો છે. જે પુત્રીને પોતાના હાથથી લાડ લડાવ્યા. ભણાવી ગણાવી એ જ પુત્રીએ અવિચારી પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મેઘજીભાઈ પુત્રના સસરા એવા વેવાઈની તબિયત સારી ન હોવાથી પરિવાર સાથે પોરબંદર ગયા બાદ પુત્રીએ ઘરે આ પગલું ભરી લીધું હતું. હાલ પોલીસ સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મેઘજીભાઈએ ધ્રોલ પોલીસમાં આ બનાવ અંગે નિવેદન આપ્યું હતું જેમાં પુત્રી રીદ્ધીબેને હાલે બી.ઈ એન્જીનીયરીંગનો અભ્યાસ પુર્ણ કરેલ હોય અને વધુ અભ્યાસ માટે કેનેડા ખાતે જવાનું હોય અને ત્યાં અભ્યાસનો ખર્ચની ફી પણ ભરી દેવામાં આવી હતી. જોકે આ સંજોગોમાં કેનેડા જવામાં સતત મોડું થતું હોવાથી પુત્રી સતત ચિંતામાં મુકાઈ હતી. આ જ ચિંતા કોરી ખાતા યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું મેઘજીભાઈએ જાહેર થયું છે.
પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની પુત્રીએ વિદેશ અભ્યાસમાં થઇ રહેલ વિલંબને લઈને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે પણ તપાસ શરુ કરી પૂર્વ ધારાસભ્ય સહિતના પરિવારનું નિવેદન નોંધ્યું છે. આપઘાત અંગેનું આ જ કારણ છે કે અન્ય કારણ છે ? સહિતની વિગતોનો તાગ મેળવવા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.