બૈતુલના અપર સત્ર ન્યાયાધીશ (ADJ) મહેન્દ્ર કુમાર ત્રિપાઠી અને તેમના પુત્ર અભિનય રાજનું ઝેરીલો લોટ ખાવાથી થયેલા મૃત્યુના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મર્ડર મિસ્ટ્રી પાછળ મુખ્ય સૂત્રધાર જજની 10 વર્ષ જૂની મહિલા મિત્ર હોવાનું બહાર આવ્યું. મધ્ય પ્રદેશના રિવાની રહેવાસી સંધ્યા સંતોષ છિંદવાડામાં એનજીઓ ચલાવતી હતી. ત્રિપાઠી તેની મદદ કરતાં હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘનિષ્ઠતા થઇ ગઇ. કહાનીમાં ટ્વીટ ચાર મહિલા પહેલા ત્યારે આવ્યો જ્યારે એડીજેની પત્ની વીઆરએસ લઇને પતિની સાથે રહેવા લાગી.
પત્ની સાથે રહેવા આવવાની વાત સંધ્યાને પસંદ આવી નહીં. ત્રિપાઠીએ ધીમે ધીમે સંધ્યા પ્રત્યેથી પોતાનો અણગણો શરૂ કરી દીધો. આ વાતથી ગુસ્સે થયેલી સંધ્યાએ એક તાંત્રિકની મદદથી લોટમાં ઝેર ભેળવી ત્રિપાઠીના પરિવારને પોતાના હાથથી રોટલી બનાવી ખવડાવી. ઝેરીલા લોટથી ત્રિપાઠી અને તેના પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું. પત્નીએ ભોજન ન કર્યું હોવાને કારણે તે બચી ગઇ.
કહેવામાં આવી રહ્યું છે કે ત્રિપાઠીએ સંધ્યા પાસેથી પોતાના ઉધારીના પૈસા પરત માગવાનું શરૂ કર્યું હતું. તેઓ બૈતૂલની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પદસ્થ હતા. ઘટના 20 જુલાઇની છે. બૈતુલની એસપી સિમાલા પ્રસાદના જણાવ્યા પ્રમાણે ત્રિપાઠીના પરિવારમાં બધુ ઠીક ચાલી રહ્યું ન હતું. દંપતીમાં મતભેદ હતો જેનો ફાયદો સંધ્યાએ ઉઠાવ્યો. તેણે ત્રિપાઠીને તાંત્રિક બાબાની મદદ લેવાની સલાહ આપી.
ત્યારબાદ એક બાબા ત્રિપાઠીના ઘરે પહોંચ્યા. તેણે તંત્ર-મંત્રના નામે 300 ગ્રામ લોટની ગોળી બનાવી અને તેમાં ઝેર ભેળવી દીધું. 20 જુલાઇએ સંધ્યા સર્કિટ હાઉસમાં જઇ ત્રિપાઠીને મળી. તેણે ત્રિપાઠી પાસેથી લોડ પરત લઇ લીધો અને તેની રોટલી બનાવી સમગ્ર પરિવારને ખવડાવી દીધી.
જો કે ત્રિપાઠીની પત્નીએ કોઇ કારણે આ રોટલી ખાધી નહીં જેથી તે બચી ગઇ. 20 જુલાઇની રાતે રોટી ખાધા બાદ પિતા-પુત્રની તબીયત ખરાબ થવા લાગી. ઝેરીલી રોટલી ત્રિપાઠીના નાના પુત્રએ પણ ખાધી હતી પરંતુ તે બચી ગયો.
ત્રણેય પિતા-પુત્રને ત્રણ દિવસ ફૂડ પોઇઝનિંગની આશંકાએ ઘરે જ સારવાર ચાલી પરંતુ ત્યારે ત્રિપાઠી અને મોટા પુત્રની તબીયત વધારે ખરાબ થઇ ગઇ તો તેઓને પહેલા પાઢર અને પછી નાગપુર રેફર કરવામાં આવ્યા. 25 જુલાઇએ પુત્ર અને બીજા દિવસે તેનું મૃત્યુ થઇ ગયું.
આ મામલે પોલીસે કોલ ડિટેલના આધારે સંધ્યા, તેના ડ્રાઇવર સંજુ ચંદ્રવંશી, સંજુના ફૂઆ દેવીલાલ ચંદ્રવંશી, મુબીન ખાન, કમલ અને બાબા ઉર્ફ રામદયાલને પકડી લીધા. આ લોકો એડીજેના આખા પરિવારને પતાવી દેવા માગતા હતા. પોલીસેને મહિલાની કારમાંથી તંત્ર-મંત્રની સામગ્રી મળી હતી. ત્રિપાઠીના નાના પુત્ર આશિષ રાજે પોલીસને જણાવ્યું હતું કે સંધ્યાએ રોટલી બનાવી ખવડાવી હતી. સંધ્યાએ ત્રિપાઠી પરિવારને કહ્યું હતું કે આ રોટી ખાધા બાદ બધુ ઠીક થઇ જશે.
હોસ્પિટલમાં ભરતી એડીજે સંધ્યાને ફોન કરી વારંવાર એજ વાત પુછી રહ્યાં હતા કે એવી શું વસ્તુ ખવડાવી જેના અંગે જણાવી દે જેથી ડોક્ટર તેનો એન્ટીડોઝ આપી શકે. પરંતુ સંધ્યાફોન કાપી નાખતી હતી. ત્રિપાઠીના નજીકના લોકોનું કહેવું છે કે થોડા સમયથી તેઓ આધ્યાત્મ તરફ જઇ રહ્યાં હતા. તેઓ અજીબ પ્રકારની વાતો કરવા લાગતા હતા. તેનો મોટો પુત્ર થોડા સમય પહેલા જ ઇન્દોરથી બૈતુલ આવ્યો હતો.