તો શું સાચે જ કોરોનાવાઈરસ લેબોરેટરીમાંથી લીક થયો છે? નોબેલ વિજેતાએ કર્યો આવો દાવો
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ક્યાંથી આવ્યો અને વિશ્વમાં તે કેવી રીતે ફેલાયો તે વિશે કોઈ નક્કર માહિતી નથી, પરંતુ ઘણી થિયરી સામે જરૂર આવી છે. દરમિયાન, એચ.આઈ.વી.ની શોધ કરનાર નોબેલ વિજેતાએ દાવો કર્યો છે કે કોરોનાવાઈરસની ઉત્પત્તિ લેબમાંથી જ થઈ છે. તેઓ કહે છે કે, SARS-CoV-2 વાયરસની શરૂઆત એઇડ્સની રસી બનાવવાના પ્રયાસમાં થઈ છે અને ભૂલથી તે ફેલાઈ ગયો છે.
2000થી ચાલી રહ્યુ છે સંશોધનઃ મેડિસિનનું નોબેલ જીતનારા ફ્રેન્ચ પ્રોફેસર લ્યુક મોન્ટાગ્નીઅર કહે છે કે નોવલ કોરોનાવાઈરસના જીનોમમાં એચ.આઈ.વી (હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સ વાયરસ) અને મેલેરિયા ફેલાવનારા જંતુઓ પણ હોય છે. તેમનું કહેવું છે કે કોરોનાવાઈરસનું સંશોધન 2000ના દાયકાથી વુહાનની નેશનલ બાયોસેફ્ટી લેબમાં કરવામાં આવી રહ્યું છે.
કુદરત તેની સાથે છેડતી સહન નહીં કરેઃ કોરોનાવાઈરસના જીનોમમાં એચ.આઈ.વી.ના જેનેટિક સિક્વન્સ જોડવાનું લેબમાં કરી શકાય છે અને તેને માટે મોલિક્યૂલર ટૂલ્સની જરૂર હોય છે. તેમણે કહ્યું છે કે નેચરમાં કોઈ મોલિક્યૂલની સાથે છેડછાડ સહન થઈ શકે નહી.
તેમણે કહ્યું હતું કે અપ્રાકૃતિ કોઈપણ પરિવર્તનને નેચર રિજેક્ટ કરી દે છે અને તેથી જો કોઈ રસી બનાવવામાં નહીં આવે તો પ્રકૃતિ તેને જાતે જ ખતમ કરી દેશે. તેમણે દાવો કર્યો હતો કે પરિસ્થિતિમાં સુધારો થશે.
દાવા પર વિરોધઃ જોકે, તેમના દાવાને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. પેરિસના વાઇરોલોજિસ્ટનો દાવો છે કે લુકની વાતમાં કોઈ દમ નથી કારણ કે આવા જીનેટિક સિક્વન્સ અન્ય કોરોનાવાઈરસમાં પણ જોવા મળે છે. કેટલાક જીનોમના હિસ્સા છોડ અથવા બેક્ટેરિયા જેવા પણ લાગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કુદરત તેનો અંત જાતે કરી શકતી નથી.