ફેફસાં અને શ્વસનતંત્રને અસર કરતો કોરોનાવાયરસ તમારા મગજને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત તે હૃદય, વાહિનીઓ, નસોઅને કિડની માટે પણ ઘણો ઘાતક છે. બ્રિટિશ ન્યુરોલોજીસ્ટ્સે “બ્રેન” જર્નલમાં એવી માહિતી પ્રકાશિત કરી છે કે SARS-CoV-2 હળવા લક્ષણોવાળા અથવા સ્વસ્થ થવાના દર્દીઓના મગજને ભારે નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે આવા નુકસાનની જાણ લાંબા સમય પછી અથવા ક્યારેય ન થઈ શકે.
લંડન યુનિવર્સિટીના ન્યુરોલોજીસ્ટ્સે 40 બ્રિટિશ દર્દીઓમાં તીવ્ર ડિમાઇલીટીંગ એન્સેફાલોમિએલિટિસ (ADEM)ની ઓળખ કરી છે. આ રોગ કરોડરજ્જુ અને મગજની નસોની માયલિનના શીથ્સને પ્રભાવિત કરે છે અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.
બ્રેન ડેમેજની અલગ-અલગ ડિગ્રી શું છે?
તપાસ કરાયેલા દર્દીઓમાંથી, 12 સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ઈન્ફ્લેમેશન, 10 ડિલિરિયમ અથવા સાઈકોસિસની સાથે, ટ્રાંઝિએટ એન્સીફેલોપથી (મગજની બિમારી), 8 સ્ટ્રોક અને 8 પેરિફેરલ નર્વ્સની પરેશાનીઓથી લડી રહ્યા હતા. મોટાભાગના ગિલિયન-બાર સિન્ડ્રોમનો ભોગ બન્યા હતા. તે એક પ્રકારની રોગપ્રતિકારક પ્રતિક્રિયા છે જે નર્વ્સને અસર કરે છે અને લકવાનું કારણ હોઈ શકે છે. તે 5 ટકા કેસોમાં જીવલેણ છે.
યુસીએલ હોસ્પિટલ્સના અધ્યક્ષ અને સલાહકાર ડોક્ટર માઇકલ જૅન્ડીના જણાવ્યા મુજબ, વૈજ્ઞાનિકોએ અગાઉ કોવિડ 19 ની જેમ મગજમાં હુમલો કરતા કોઈ વાયરસ જોયા નથી. અનોખી બાબત એ છે કે તે હળવા લક્ષણોવાળા દર્દીઓના મગજને ભારે નુકસાન પહોંચાડે છે.
પ્રકાશિત થઈ ચૂકેલાં મામલા આ ડરની પુષ્ટિ કરે છે કે કોવિડ 19 કેટલાક દર્દીઓમાં લાંબા ગાળાની આરોગ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યા છે. ઘણા દર્દીઓ સાજા થયા પછી શ્વસન સમસ્યાઓ અને થાકથી પરેશાન રહે છે. જ્યારે સ્વસ્થ થતા દર્દીઓ સુન્નતા, નબળાઇ અને યાદશક્તિની સમસ્યાઓથી પરેશાન રહે છે.
ડોક્ટર માઇકલ સમજાવે છે કે બાયોલોજીકલી ADEMમાં મલ્ટીપલ સ્ક્લેરોસિસમાં કેટલીક સમાનતાઓ ધરાવે છે, પરંતુ નોંધપાત્ર રીતે વધુ જીવલેણ છે અને સામાન્ય રીતે ફક્ત એક જ વાર થાય છે. કેટલાક દર્દીઓને લાંબા સમય માટે મજબૂર થઈ જાય છે, કેટલાક સ્વસ્થ થાય છે.
તેઓએ જણાવ્યુકે,SARS-CoV-2થી થતાી મગજની બિમારી આખા સ્પેક્ટ્રમ અને લાંબા સમય સુધી ચાલતા સાઈડ ઈફેક્ટ્સને રેકોર્ડ કરવામાં આવ્યા નથી. કારણકે, હોસ્પિટલમાં દાખલ ઘણા દર્દીઓ બ્રેન સ્કેનર્સ અને અન્ય રીતે તપાસ કરવા માટે ઘણા બીમાર છે.
કેટલીકવાર ન્યુરોલોજીકલ નુકસાન અને લેટ ઈફેક્ટ્સને શોધી શકાતી નથી અથવા ઓવરલોડને કારણે શોધવામાં લાંબો સમય લાગે છે. ડોક્ટર માઇકલે કહ્યું કે, “અમે કોરોનાવાયરસની જટીલતાઓને લઈને વિશ્વના ચિકિત્સકોનું ધ્યાન દોરવા માંગીએ છીએ. ચિકિત્સકો અને કર્મચારીઓએ યાદરાખવામાં મુશ્કેલી, થાક, સુન્ન થઈ જવુ અને નબળાઈ સામે ઝઝૂમતા દર્દીઓને લઈને ન્યૂરોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ.
ચોંકાવનારા કેસ સ્ટડીઝ
ઉદાહરણ તરીકે, 47 વર્ષની સ્ત્રીને એક અઠવાડિયા સુધી તાવ અને ઉધરસ બાદ અચાનક માથાનો દુખાવો થયો હતો અને તેનો હાથ સુન્ન થઈ ગયો. મહિલાએ હોસ્પિટલમાં જવાબ આપવાનું બંધ કર્યું. ઈમરજન્સી ઓપરેશન દરમિયાન, મહિલાના સોજાવાળા મગજ પરનું દબાણ ઓછું કરવા માટે ખોપરીનો એક ભાગ કાઢવો પડ્યો.
એક 55 વર્ષિય દર્દીએ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી એક દિવસ પછી વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું. આ દર્દીને પહેલાં ક્યારેય મગજની કોઈ તકલીફ નહોતી. ઉદાહરણ તરીકે, આ દર્દી ઘણી વખત તેનો કોટ ઉતારીને પહેરતો હતો. આ સિવાય તેને ભ્રમ થવા લાગ્યો અને વાંદરા અને સિંહ ઘરમાં દેખાવા લાગ્યા. તેને હોસ્પિટલમાં એન્ટિસાયકોટિક દવા આપવામાં આવી હતી.
સ્પેનિશ ફ્લૂને કારણે 10 લાખ લોકોના મગજનું નુકસાન થયું
બ્રિટિશ ન્યુરોલોજીસ્ટને ડર છે કે કોવિડ 19 કેટલાક દર્દીઓના મગજને નુકસાન પહોંચાડી શકે છે. આ ફક્ત આવનારા સમયમાં સ્પષ્ટ થશે. એક અધ્યયન મુજબ, 1918 માં આવેલા સ્પેનિશ ફ્લૂથી સાજા થયેલા લોકોમાં સમાન આડઅસરો જોવા મળી હતી. તેમાં, લગભગ 10 લાખ લોકોનાં મગજને નુકસાન થયુ હતુ. યુસીએલ ક્વીન સ્ક્વેર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીના ડોક્ટર માઈકલ જૅન્ડી કહે છે કે “અમે આશા રાખીએ છીએ કે આવું નહીં થાય, પરંતુ વસ્તીના આટલા મોટા ભાગને અસર થવાનું કારણ એ છે કે આપણે જાગૃત રહેવું પડશે.”