Only Gujarat

FEATURED National

ખેડૂતે કરી કમાલ.. સૂકી ભઠ્ઠ બે વીઘા જમીનમાં ઉગાડી દીધું લાખોનું કિંમતી કેસર

લખનઉઃ કોરોના વાયરસના કારણે આખા દેશમાં લૉકડાઉન છે અને પાકના કાપવાનું કામ યોગ્ય રીતે નથી થઈ રહ્યું. આ વચ્ચે ઉત્તર ભારતમાં વરસાદ, તોફાન અને બરફવર્ષાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. આ વચ્ચે, બુંદેલખંડના એક ખેડૂત પરિવારે સૂકી જમીન પર કેસરની ખેતી કરી રાહતની ખબર આપી છે. સામાન્ય રીતે બુંદેલખંડ પોતાના દુષ્કાળગ્રસ્ત વિસ્તાર માટે જાણીતું છે. પરંતુ એક ખેડૂત પરિવારે કેસરની ખેતી કરીને બુંદેલખંડના ખેડૂતો માટે નવી આશા જગાવી દીધી છે.

બુંદેલખંડના જાલૌનના માધૌગઢ તાલુકાના ગામ સિરસા દોગડીમાં એક ખેડૂત પરિવારે પોતાની બે વીઘા જમીનમાં કેસરની ખેતી કરી અને લગભગ દોઢ ક્વિન્ટલ કેસર ઉગાડ્યું. જેની કિંમત લગભગ 35 લાખ રૂપિયા છે. જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થવાની આશા રાખવામાં આવી રહી છે.

બુંદેલખંડમાં આવો ચમત્કાર જોઈને ખેડૂતો અને ખેતીના જાણકારો આશ્ચર્યમાં છે. કારણ કે કેસરની ખેતી કશ્મીરમાં જ થાય છે. પરંતુ કેસરની ખેતી બુંદેલખંડની માટીમાં પણ થઈ શકે છે તે વિચારીને જનપદના ખેડૂતો ખુબ જ ઉત્સાહિત છે અને તેમને એવું લાગે છે કે કદાચ તેમને ભગવાને સંજીવની પ્રદાન કરી છે. જેનાથી તેઓ પોતાનું ઋણને સરળતાથી ચુકવી શકે છે.

ખેડૂતના આ સફળ પ્રયાસ બાદ ભારતીય ખેડૂત યૂનિયનના પ્રદેશ અધ્યક્ષ રાજવીર સિંહ જાદૌન જણાવે છે કે ખેડૂતોએ કેસરની ખેતી કરીને સૌને ચકિત કરી દીધા છે. આ પરિવારે બુંદેલખંડના ખેડૂતોની આન બાન શાનને વધારી દીધી છે, અમને આવા ખેડૂતો પર ગર્વ છે. અમે સરકાર પાસે માંગ કરીએ છે કે જો બુંદેલખંડમાં ખેડૂતોની સ્થિતિ સુધારવાની છે. એવા લોકોના બીજ અને બજાર ઉપલબ્ધ કરાવવું જોઈએ. જેનાથી બુંદેલખંડનો ખેડૂત એ કરી બતાવશે જે દુનિયા જોશે.

ખેડૂત રવિ કુમાર અને રામબલી સિંહનું કહેવું છે કે કેસરને ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવ્યું છે. તેમાં છાણનું ખાતર નાખવામાં આવ્યું છે. કેસરના વેચાણ પહેલા દિલ્લીની સ્ટાન્ડર્ડ એનાલિટિકલ લેબોરેટરીમાં તેની ગુણવત્તાની તપાસ થવાની બાકી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page