મુંબઈઃ બોલિવૂ઼ડના ફેમસ કોમેડિયન જગદીપ જાફરીનું ગત 8 જુલાઈ, 2020એ નિધન થયું હતું. જગદીપ ફિલ્મ ‘શોલે‘માં સુરમા ભોપાલીના કેરેક્ટરથી ખૂબ જ ફેમસ થયાં હતાં. જગદીપ હંમેશા તેમના ડાયલોગને અલગ લઢણથી બોલવાને લીધે લોકપ્રિય હતાં. જગદીપની લાઇફ વિશે વાત કરીએ તો, તેમણે બે લગ્ન કર્યાં હતાં. જગદીપની પહેલી પત્નીને છોડ્યા પછી તેમની તરફ ક્યારેય જોયું નહોતું. આ પહેલાં જગદીપનો મોટા દીકરા અને જાવેદ જાફરીના સાવકા ભાઈનું મુંબઈની જે.જે. હોસ્પિટલમાં મોત થયું તો તેમને મળવા પણ નહોતાં ગયાં. જગદીપના મોટા દીકરાનું નામ હુસૈન જાફરી હતું જેમનું ગળામાં ઇન્ફેક્શન થવાને લીધે 2009માં નિધન થયું હતું. જગદીપની પહેલી પત્નીને ત્રણ બાળકો હતાં, તેમને બે દીકરીઓ પણ હતી.
જગદીપની પહેલી પત્નીનું નામ બેગમ હતું. તેમણે તેમના દીકરાના મોત પછી બેગમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું જાવેદ અને નાવેદથી નારાજ નથી, પણ તેમના પિતા જગદીપ પર ગુસ્સે છું કેમ કે, તેમણે મને આ રીતે છોડી દીધી હતી. તેમણે તેમના દીકરાને હોસ્પિટલમાં જોવા માટે આવવું જોઈએ હતું. હું તેમની પહેલી પત્ની છું. મારા દીકરો દર્દમાં મર્યો અને તેને જોવાવાળું કોઈ હતું નહીં.’
બેગમના પરિવારે જગદીપ સાથેથી અલગ થયાં પછી અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. જગદીપની પહેલી પત્ની બેગમનો મોટો દીકરો હુસૈન કાર ધોઈને તેનું જીવન જીવતો હતો. 2006માં ટ્રેન એક્સિડન્ટમાં જગદીપની પહેલી પત્નીના દીકરા હુસૈને તેના બંગે પગ ગુમાવ્યા પછી ભીખ માગવાનું શરૂ કર્યું હતું.
જગદીપની પહેલી પત્ની બેગમના જણાવ્યા મુજબ, ‘બાંદ્રાની મસ્જિદમાં હુસન ઘણીવાર જાવેદને મળતો હતો અને રૂપિયા માગતો હતો. જાવેદે ક્યારેય હુસૈનને તેના દીકરા જેવો સમજ્યો નહતો, હંમેશા ભીખારી માન્યો. તેમણે અમને ક્યારેય પરિવાર માન્યો નહીં.’ તે સમયે એક અખબારે જાવેદ જાફરી સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ, જાવેદ જાફરીએ કહ્યું કે, ‘હું શહેરની બહાર છું અને મારો કોઈ સાવકો ભાઈ છે નહીં.’
ઉલ્લેખનીય છે કે, જગદીપના બંને દીકરા જાવેદ અને નાવેદ, ટીવી પર લગભગ એક દશક સુધી રાજ કરતાં હતાં. બંનેએ તે સમયે ખૂબ જ શૉ કર્યા જ્યારે ભારતમાં સેટેલાઇટ ટીવીનો યુગ શરૂ થયો અને નવી નવી ચૅનલો આવી રહી હતી.