Only Gujarat

FEATURED National

પતિની હરકતોથી ત્રાસી ગઈ હતી પત્ની, પ્રેમી સાથે મળીને આમ બનાવી હત્યાની યોજના પરંતુ…

પટણાઃ બિહારના ભાગલપુરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિ-પત્નીના સંબંધો કલંકિત થયા. એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પોતાના પતિની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આરોપી મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

ભાગલપુરના હસનગંજ વિસ્તારમાં નંદકિશોર મંડલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોએ ગુરુવારે (28 ઓગસ્ટ) સવારે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટના અંગે બબરગંજ પોલીસ સ્ટેશનની ટીમ તપાસ માટે પહોંચી હતી. ઘટના સ્થળે પોલીસને નંદકિશોર મંડલના મૃતદેહ પાસે તેની પત્ની મીના દેવી રડતા જોવા મળી હતી. ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી હતી ત્યારે ત્યાં હાજર એસએસપીએ ફોરેન્સિક ટીમને પત્ની મીનાની હથેળી, બંગળી અને કાંડાની તપાસ કરવા માટે સૂચના આપી.

પોલીસની શંકા સાચી પડી અને મીનાની બંગળીઓ પર તેના પતિ નંદકિશોર યાદવનું લોહી મળ્યું. પત્ની મીનાની ધરપકડ કરી તેની કડકાઈથી પૂછ પરછ કરતા તેણે હત્યાની યોજનાની સંપૂર્ણ કહાણી જણાવી દીધી. પોલીસે જણાવ્યું કે, મીના પતિના વર્તનથી ખુશ નહોતી અને જટિયા ઉર્ફ કૃષ્ણકાંત નામના વ્યક્તિના પ્રેમમાં પડી, આ કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો.

એકદિવસ મીના અને તેના પ્રેમીએ નંદકિશોર મંડલની હત્યાની યોજના બનાવી. જે પછી હસનગંજના શિવનગર કોલોનીમાં ભાડાનું મકાન લીધુ અને પછી બુધવાર (27 ઓગસ્ટ) રાતે ત્યાં જ નંદકિશોર મંડલની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી મીનાનો પ્રેમી જટિયા ત્યાંથી ફરાર થઈ ગયો.

મીનાએ ગુનો કબૂલ કરી લેતા હવે પોલીસ તેના પ્રેમી જટિયાની ધરપકડ કરવા માટે રેડ પાડી રહી છે. તો આ કેસમાં જલ્દી ખુલાસો કરવા માટે એસએસપીએ બબરગંજના થાનાધ્યક્ષ પવન કુમાર સિંહને અવોર્ડ આપવાની જાહેરાત કરી હતી.

You cannot copy content of this page