મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. આ મામલે અત્યારસુધી ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે કેસ ઉકેલવા સુશાંતના પરિવારજનો, મિત્રો અને રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી. હવે સુશાંતના ડૉક્ટરે પોલીસ સમક્ષ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. ઉલ્લેખનીય છે કે, સુશાંતે 14 જૂને પોતાના ફ્લેટ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કોઈને પણ સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ સમજાતું નહોતું અને તેણે કોઈ સુસાઈડ નોટ ના લખી હોવાથી આ કેસ વધુ ગૂંચવાયો હતો.
ડૉક્ટરે કર્યા ખુલાસા
ન્યૂઝ વેબસાઈટ આજતકમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ સુશાંતના નિધન બાદ તેના ઘરેથી મળેલા ડોક્યૂમેન્ટ્સથી જાણવા મળ્યું કે, તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યો હતો. સ્પૉટબૉય વેબસાઈટના રિપોર્ટ અનુસાર, મુંબઈ પોલીસે તેમના મનોચિકિત્સક કેસરી ચાવડાએ પૂછપરછ કરી હતી.
જેમાં ચાવડાએ કહ્યું કે, સુશાંતને પોતાની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેથી અલગ થવાનો પસતાવો હતો અને આ કારણે તે ઘણો ચિંતિત રહેતો હતો. તે વારંવાર પોતાના બ્રેકઅપને જીવનની સૌથી મોટી ભૂલ ગણાવતો હતો. તે અંકિતાને ઘણીવાર યાદ કરતો હતો. ડૉક્ટરે સાથે જણાવ્યું કે, સુશાંત મગજમાં બાઈપોલર હતું અને તે દરેક વસ્તુને ઘણા એંગલથી વિચારતો હતો.
વર્તન બદલાયું
ડૉક્ટરે પોલીસને કહ્યું કે, આ દરમિયાન સુશાંતના વ્યવહારમાં ઘણા ફેરફારો જોવા મળ્યા હતા. તેણે ઊંઘ ના આવતી હોવાની અને વિચિત્ર અવાજો સંભળાતી હોવાની વાતો કરી હતી. આ દરમિયાન સુશાંત પોતાના ડૉક્ટરને 3 વખત મળ્યો હતો. ડૉક્ટરે કહ્યું કે- કૃતિ સેનન અને એક ડિરેક્ટરની દીકરી સાથે સુશાંત સંબંધમાં હતો, પરંતુ આ બંને રિલેશનશિપ નિષ્ફળ સાબિત થયા.
રિયા અંગે ખુલીને વાત કરતો હતો
ડૉક્ટરે કહ્યું કે, સુશાંત તેમની સાથે રિયા ચક્રવર્તી અંગે પણ ખુલીને વાત કરતો હતો. સુશાંત અને રિયા એક કોમન ફ્રેન્ડ થકી મળ્યા હતા. રિયા અગાઉ વર્સોવામાં પોતાની એક મિત્ર સાથે રહેતી હતી, પરંતુ પછીથી તે સુશાંતના ઘરે રહેવા લાગી. સુશાંત રિયાના વ્યવહારથી ખુશ નહોતો. બંને એક સાથે ફરવા પણ ગયા હતા. જોકે રિયા નાની-નાની વાતો પર ઝઘડો કરતી હતી.
રિયા નહોતી ઈચ્છતી કે સુશાંત તેમની રિલેશનશિપ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે, જો સુશાંત આવું કંઈ કરે તો રિયા પોસ્ટ ડિલિટ કરાવતી હતી. આ વાતાના લીધે સુશાંત વધુ ચિંતિત રહેવા લાગ્યો.