2020 બોલીવુડ માટે અત્યંત ખરાબ વીતી રહ્યું છે. એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. અજય દેવગણ પર હવે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના નાના ભાઈ અનિલ દેવગણનું નિધન થયું છે. આ સમાચારને કારણે બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સેલેબ્સ અજયને દિલાસો આપવા સાથે અનિલને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અજયે જાતે જ ટ્વીટ કરીને પોતાના ભાઈના મોતની માહિતી બધાને આપી હતી. જણાવી દઈએકે, આ દિવસોમાં અજય પુત્ર યુગ સાથે ઘરે એકલા છે કારણ કે પત્ની કાજોલ પુત્રી ન્યાસા સાથે સિંગાપોરમાં છે.
અજયે ટ્વિટ પર જણાવ્યું હતું કે, અનિલ દેવગને ગઈરાત્રે આ દુનિયા છોડી દીધી હતી. તેના અકાળે અવસાનથી પરિવાર ગમગીન છે.
અજયે લખ્યું – અજય દેવગન ફિલ્મો અને તે પોતે તેમની કમીને અનુભવ કરશે. આત્મા માટે પ્રાર્થના કરો. કોરોના વાયરસ પેનેડેમિકને કારણે કોઈપણ વ્યક્તિગત શોકસભા યોજાશે નહીં.
જણાવી દઈએ કે, અજયનો ભાઈ અનિલ 45 વર્ષનો હતો. તેમણે ઘણી ફિલ્મ્સ ડાયરેક્ટ કરી હતી.
અનિલે રાજુ ચાચા, બ્લેકમેલ, હાલ એ દિલ જેવી ફિલ્મો નિર્દેશિત કરી હતી.
તે તેમના મોટા ભાઈ અજય દેવગનની ફિલ્મ સન ઓફ સરદારના ક્રિએટિવ ડિરેક્ટર હતા.
અનિલે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તેની ફિલ્મી કારકિરદીની શરૂઆત ‘ફૂલ ઓર કાંટે, જાન, ઈતિહાસ અને પ્યાર તો હોના હી થા’ થી કરી હતી.
અજય દેવગન નાના ભાઈ અનિલ સાથે.