વજન ઘટાડવા માટે આ એક્ટ્રેસે કરી હતી એવી હરકત કે પરિવારે લઈ જવી પડી હતી ડૉક્ટર પાસે
બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલને એક્ટિંગમાં જ નહીં પણ પોતાની લાઈફ સ્ટાઈલ અને જીવન જીવવાની રીતથી પણ લોકોને પ્રેરિત કર્યાં છે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થઈ વિદ્યા બાલને ફિલ્મોમાં વિવિધ ચેલેંજિંગ માટે ભૂમિકા ભજવવા માટે અન્ય અભિનેત્રીઓની જેમ ઝીરો ઈમેજની દીવાનગી બતાવી હતી ત્યાર બાદ તે સફળની સીડી ચડવા લાગી હતી. પરંતુ વિદ્યા બાલનના જીવનમાં એક એવો સમય આવ્યો કે તેનો ઝડપથી વધતા વજનના કારણે બોડી શેમિંગનો શિકાર બનવા લાગી હતી.
ત્યાર બાદ અભિનેત્રી વિદ્યા બાલને આ અંગે વિચારવાનું શરૂ કરી દીધું કે, એના જીવનની આ એક સમસ્યા છે. તેને પણ પોતાની બોડીથી નફરત થવા લાગી હતી. મહત્વી વાત એ છે કે, જ્યારે તે નાની હતી ત્યારે તેનું ગોળ-મટોળ શરીર જોઈને લોકોનો ઘણો પ્રેમ મળતો હતો. પરંતુ જેમ-જેમ મોટી થઈ તેમ તેમ લોકો તેને ટોકવા લાગ્યા હતા કે તેમનો ચહેરો તો સુંદર છે પરંતુ વજન બહુ જ વધારે છે. વિદ્યાને લાગતું હતું કે, એની ફિલ્મો સફળ ન જવા પાછળનું તેનું વધારે વજન જ છે.
જોકે વિદ્યા 17 વર્ષની હતી ત્યારે તેને કોઈએ કહ્યું હતું કે, જો એક દિવસમાં 10 લીટર પાણી પીવાથી વજન ઓછો થઈ જશે. ત્યાર બાદ તેણે દિવસમાં 10 લીટર પાણી પીવાનું શરૂ કર્યું અને ઉલ્ટી, ઉબકારા, જીવ ગભરાવવો જેવી સમસ્યાઓ શરુ થઈ ગઈ. આ સમસ્યાથી એમના પરિવારના લોકોની પણ ચિંતા વધારી દીધી હતી અને જ્યારે વિધાએ તેને જણાવ્યું કે, તેમણે આ વજન ઘટાડવા માટે કરી રહી છે તો એમને એક ડોક્ટર પાસે લઈ ગયા હતા ત્યાર બાદ તેણે આ કરવાનું બંધ કરી દીધું હતું તો વજન ફરી વધવાનું શરુ થઈ ગયો હતો.
વિદ્યાને હાર્મોલન્સ ઈન્બેલેન્સની સમસ્યા છે જેના કારણે તેઓ કેટલી પણ ડાયટિંગ કરે વર્કઆઉટ કરે એમનો વજન ઓછો થશે નહીં. 2019માં વિદ્યા પોતાના હાર્મોંસમાં બદલાવના કારણે ચિડચિડાપણાનો શિકાર થઈ ગઈ હતી. પરંતુ જ્યારે તેને આ વાતનો અહેસાન થયો કે હજુ પણ તેઓ એક એક્ટ્રેસ બનવાનું સપનું લઈને પોતાની જિંદગી જીવે છે તો તેણે પોતાને સ્વીકાર કરી લીધી અને પોતાના શરીરને સન્માન આપવાનું શીખી. જોકે એમાં ઘણો સમય લાગ્યો હતો ત્યાર બાદ વિદ્યાએ કસરત કરવાનું બંધ કરી દીધું અને જે પણ ખાવાનું મન થાય એ ખાવા લાગી હતી. ત્યાર પછી તેનું હાર્મોંસ બેલેન્સ થવાનું શરૂ થયું અને લાંબા સમય પછી તેનો 2 કિલો વજન ઓછો થયો હતો.
વિદ્યા ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD)થી પીડિત રહી છે. જે બ્રેનમાં સિરોટોનિક નામક ન્યૂટ્રોટ્રાન્સ્મીટરની કમી હોવું, ટેન્શન, કોઈ વસ્તુના ઈન્ફેક્શનથી અથવા આનુવંશિકતાના કારણે થનાર એક બીમારી છે. આ બીમારીમાં કોઈ વિચાર અથવા કામ મગજમાં બેસી જાય છે એટલે જો તને કોઈ કામની ધૂન લાગી જાય છે તેથી તે સમનનું સ્વરૂપ લે છે. પછી તેઓ વારંવાર એક જ કામ કરતા રહે છે. વિદ્યા પોતાની બીમારીના કારણે હંમેશા પોતાની આજુબાજુ સફાઈ રાખવાનું પસંદ કરે છે અને ધૂળ બિલકુલ સહન કરી સકતી નથી. એનાથી એને એલર્જી થાય છે.
વિદ્યાની સવારમાં ઉઠીને પહેલા મોર્નિંગ ટી લે છે. વિદ્યાને મસાલા ચા પસંદ છે. અહીં સુધી કે જ્યારે તેઓ આઉટડોર શુટિંગ અથવા ટ્રાવેલ દરમિયાન બહાર રહે છે ત્યારે પણ મસાલા ચાના સાથે લઈને જાય છે. જેથી તેને મસાલા ચા મળતી રહે. ઓઈલી અને સ્પાઈસી ફૂડને અવોઈડ કરવા વાળી વિદ્યા વેજિટેરિટયન છે માટે ડાઈટમાં લીલી શાકભાજી અને ફળો રાખે છે.
સાઉથ ઈન્ડિયન હોવાના કારણે તેને સ્ટીમ રાઈસ સાથે ગ્રીન કરી બહુ જ પસંદ છે. વિદ્યા દર બે કલાકે કંઈને કંઈ ખાતી જોવા મળે છે. મીઠાઈમાં તેને કોલકાતાના રસગુલ્લા, મિષ્ટી દોઈ, ખીર, થેરાતિપલ બહુ પસંદ છે. સ્નેક્સમાં તેણે ચોકલેટ, બિસ્કિટ, બનાના ચિપ્સ, ઈન્સ્ટન્ટ નુડલ્સ અને પેસ્ટ્રીઝ પસંદ છે. આ ઉપરાંત તે દિવસભર ઘણું પાણી પીવે છે.