મુંબઈઃ વિદ્યા બાલનની નવી ફિલ્મ ‘શકુંતલા દેવી’ રિલીઝ થઈ ગઈ છે. એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. અનુ મેમનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વિદ્યા બાલનની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યાં છે. એવામાં સોશિયલ મીડિયા પર વિદ્યા બાલને એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેમના ઘરે બેસી ફિલ્મ ‘શકુંતલા દેવી’ જોઈ રહી છે. આ દરમિયાન વિદ્યા બાલનના ઘરના ફોટો પણ જોવાલાયક છે. વિદ્યા બાલનના ઘરમાં મોટું ટીવી, દીવાલો પર સુંદર પેઇન્ટિંગ અને વુડન ફ્લોરિંગ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
વિદ્યા બાલનનું ઘર મુંબઈના સૌથી પૉશ વિસ્તાર જુહૂ તારા રોડ પર સ્થિત છે, આ બિલ્ડિંગનું નામ ‘પ્રણેતા’ છે.
વિદ્યા બાલન આ સી-ફૅસિંગ એપાર્ટમેન્ટમાં વર્ષ 2012થી રહે છે. આ બિલ્ડિંગમાં શાહિદ કપૂરે પણ 2014માં એક ફ્લેટ ખરીદ્યો હતો, જેની કિંમત લગભગ 32 કરોડ રૂપિયા હતી.
વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રૉય કપૂરની પહેલી મુલાકાત ફિલ્મફેર એવોર્ડ્સના બૅકસ્ટેજમાં થઈ હતી. આ પછી કરણ જોહરે બંનેની મુલાકાત કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, કરણ જોહરે બંનેના કૉમન ફ્રેન્ડ છે.
સિદ્ધાર્થ અને વિદ્યા બંને ઇન્ડસ્ટ્રીમાં ફૅમસ છે, જેને લીધે તેઓ વધુ મળતા નહોતા. આ જ કારણને લીધે બંને ઓછા મળ્યા હતાં, પણ વાતો વધારે કરતાં હતાં. આ જ રીતે બંને એકબીજાની નજીક આવ્યા હતાં.
આ પછી સિદ્ધાર્થે વિદ્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને પરિવારની મંજૂરી સાથે બંનેએ સાઉથ ઇન્ડિયન અને પંજાબી રીતિ રિવાઝથી લગ્ન કર્યાં હતાં.
વિદ્યા બાલને સિદ્ધાર્થ રૉય કપૂર સાથે 14 ડિસેમ્બર, 2012માં લગ્ન કર્યાં હતાં. સિદ્ધાર્થ-વિદ્યાના લગ્ન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત ગ્રીન ગિફ્ટ નામના બંગલોમાં થયાં હતાં.
વિદ્યા અને સિદ્ધાર્થના લગ્નમાં રિવાજ પંજાબી અને તમિલ રીતિ-રિવાજો સાથે થયાં હતાં. વિદ્યા સાથે લગ્ન કર્યાં પહેલાં સિદ્ધાર્થનાં બે વાર છૂટાછેડા થયાં હતાં. વિદ્યા બાલન સિદ્ધાર્થની ત્રીજી પત્ની છે.
સિદ્ધાર્થના પહેલાં લગ્ન તેમની બાળપણની ફ્રેન્ડ આરતી બજાજ સાથે થયાં, જે વધારે દિવસ સુધી ટક્યાં નહોતાં. આ પછી સિદ્ધાર્થે ટીવી પ્રોડ્યુસર કવિતા સાથે લગ્ન કર્યાં, પણ તે વધારે દિવસ ટક્યા નહોતાં.